જામનગર જિલ્લાના કાલાવડ ટાઉનમાં રહેતા મોચી જ્ઞાતિના એક યુવાને પોતાના ઘેર આર્થિક સંકળામણ થી તંગ આવી જઈ ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે. જે મામલે કાલાવડ પોલીસ તપાસ ચલાવે છે.
આ બનાવની વિગત એવી છે કે કાલાવડમાં ખત્રી શેરીમાં રહેતા અને પ્રાઇવેટ નોકરી કરતા વિશાલ પ્રવીણભાઈ પરમાર નામના ૨૯ વર્ષના મોચી જ્ઞાતિના યુવાને ગઈકાલે પોતાના ઘેર છતના હુકમાં દોરી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.
આ બનાવ અંગે મૃતકના પિતા પ્રવીણભાઈ ડાયાભાઈ પરમારે પોલીસને જાણ કરતાં કાલાવડ ટાઉન પોલીસે બનાવના સ્થળે પહોંચી જઈ, મૃતદેહ નો કબજો સંભાળ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ પૂછપરછ દરમિયાન મૃતક યુવાન આર્થિક ખેંચ અનુભવતો હતો, જેના કારણે જિંદગીથી કંટાળી જઈ આ પગલું ભરી લીધું હોવાનું પોલીસ સમક્ષ જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજગન્નાથ રથયાત્રાના દિવસે બની રહ્યા છે આ દુર્લભ યોગ, જાણો દિવસમાં કેટલો સમય કરી શકાશે પૂજા
July 05, 2024 11:40 PMવરસાદી ઋતુમાં ત્વચાની તમામ સમસ્યાઓ દૂર કરશે આ નાના નાના પાંદડા
July 05, 2024 11:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech