ભારતના મોસ્ટ વોન્ટેડ દુશ્મન મસૂદ અઝહરની પાકમાં હત્યા થયાનો દાવો

  • January 02, 2024 12:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતના વધુ એક દુશ્મન અને મોસ્ટ વોન્ટેડ આતંકી મસૂદ અઝહરની હત્યા થઇ હોવાનો દાવો કરાયો છે. જોકે, આ અંગે સત્તાવાર રીતે કઈં કહેવામાં આવ્યું નથી. મીડિયા અહેવાલો અનુસાર, જૈશ–એ–મોહમ્મદના વડાની ગતરોજ સવારે ૫ વાગ્યે હત્યા કરવામાં આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાનના બહાવલપુરમાં બોમ્બ બ્લાસ્ટમાં તેનું મોત થયું છે.

દાઉદ ઈબ્રાહિમ બાદ સંસદ હત્પમલાના માસ્ટરમાઇન્ડ મસૂદ અઝહરના મોતના સમાચાર સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યા છે. આતંકવાદી જૂથ જૈશ–એ–મોહમ્મદના વડા મૌલાના મસૂદ અઝહરનું અજાણ્યા હત્પમલાખોરો દ્રારા કરવામાં આવેલા બોમ્બ વિસ્ફોટમાં મૃત્યુ થયું છે તેમ સોશિયલ મીડિયા પર આ અંગે સતત ચર્ચા ચાલી રહી છે.
મીડિયા અહેવાલો મુજબ, મસૂદ અઝહર સવારે ૫ વાગ્યે બહાવલપુર મસ્જિદમાંથી પરત ફરતી વખતે અજાણ્યા શખ્સો દ્રારા કરવામાં આવેલા બોમ્બ વિસ્ફોટમાં માર્યેા ગયો હતો. અઝહરનો જન્મ ૧૦ જુલાઈ ૧૯૬૮ના રોજ પાકિસ્તાનના પંજાબ રાયના બહાવલપુરમાં થયો હતો. મસૂદ અઝહર એ આતંકવાદીઓમાંનો એક હતો જેની મુકિતની માગણી તેણે કંદહાર જતી ઈન્ડિયન એરલાઈન્સ લાઈટ ૮૧૪ને હાઈજેક કર્યા પછી કરવામાં આવી હતી. મસૂદ અઝહરે ૧૩ ડિસેમ્બર ૨૦૦૧ના રોજ સંસદ પર આતંકવાદી હત્પમલાનું ષડયત્રં પણ રચ્યું હતું. અહેવાલો સૂચવે છે કે તે ઇસ્લામાબાદમાં પાકિસ્તાની ડીપ સ્ટેટની રક્ષણાત્મક કસ્ટડીમાં રહેતો હતો. ૫૫ વર્ષીય આતંકવાદી ભાગ્યે જ બહાવલપુરના રેલ્વે લિંક રોડ પર સ્થિત મરકઝ–એ–ઉસ્માન–ઓ–અલી મદરેસામાં જતો હતો.
હકીકતમાં, છેલ્લા એક વર્ષમાં, પાકિસ્તાનમાં શંકાસ્પદ સંજોગોમાં ભારતીય ગુનેગારોની હત્યા કરવામાં આવી હોવાના સતત અહેવાલો આવી રહ્યા છે. આ યાદીમાં એક ડઝનથી વધુ આતંકવાદીઓ સામેલ છે. આ વર્ષે પાકિસ્તાનમાં ભારતના કેટલાક મોસ્ટ વોન્ટેડ માર્યા ગયા છે. કેન્દ્રીય એજન્સીઓના સૂત્રોનું કહેવું છે કે પાકિસ્તાનમાં ભારતના મોસ્ટ વોન્ટેડ અને તેમના સહયોગીઓની સતત હત્યા થઈ રહી છે. એવું નથી કે આઇએસઆઈ આ આતંકવાદીઓને સુરક્ષિત રાખવાનો પ્રયાસ નથી કરી રહી. આમ છતાં આતંકવાદીઓ અજાણ્યા હત્પમલાખોરોનું નિશાન બની રહ્યા છે. બે–ત્રણ મહિનાના અંતરાલમાં, 'જૈશ–એ–મોહમ્મદ', 'ડી કંપની', 'લશ્કર–એ–તૈયબા', લશ્કર–એ–જબ્બાર અને લશ્કર–એ–જંગવી વગેરે જેવા કેટલાક આતંકવાદી સંગઠનના સભ્યો માર્યા ગયા છે. પાકિસ્તાની આઇએસઆઈએ હિઝબુલ મુજાહિદ્દીનના વડા સૈયદ સલાહત્પદ્દીન, જૈશ–એ–મોહમ્મદના વડા મસૂદ અઝહર અને લશ્કર–એ–તૈયબાના વડા હાફિઝ સઈદને સુરક્ષા કવચ પૂં પાડું હોવાના અહેવાલો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application