સદરહું દાવામાં પ્રતિવાદીઓ નં.૩ થી ૧૦ તરફે એડવોકેટ દિપક સી. વ્યાસે પ્રતિવાદીનાં દાવાનો જવાબ રજુ કરેલ અને એવી તકરાર લેવામાં આવેલ કે વાદી નં. ર સુરેશ સેજપાલ પર્સનલ કેપેસિટીમાં છે તેમજ વાદી નં.૧ ટ્રસ્ટમાં ટ્રસ્ટી છે. તેમજ વાદી નં. ર દ્વારા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બાંધકામ પ્લાન મંજૂર કરાવેલ છે. તેમજ અવેજ પણ સ્વીકારેલ છે. અને પ્રતિવાદીઓ જગ્યાનાં અલગ-અલગ મકાનમાં વસવાટ કરે છે. ત્યાં ઈલેકટ્રીક કનેક્શન, રોડ રસ્તા, પાણી વગેરે સગવડો આવેલ છે. ત્યારબાદ દાવો દલીલનાં સ્ટેજે આવતાં પ્રતિવાદીઓ નં.૩ થી ૧૨ તરફે વકીલ દ્વારા દલીલો કરવામાં આવેલ કે વાદી દ્વારા ખોટું, બોગસ ટ્રસ્ટ ઉભું કરવામાં આવેલ છે. તેમજ વાદીએ સત્ય હકકીતો છુપાવેલ છે. ચેરીટી કમિશનરમાં ટ્રસ્ટમાં તે મિલ્કતની નોંધ કરાવેલ નથી. વિગેરે લંબાણપૂર્વકની દલીલ તેમજ કાયદાની દલીલો સિવિલ કોર્ટે માન્ય રાખી પ્રતિવાદીઓ બોનાફાઈડ પરચેઝર હોય, વાદી ટ્રસ્ટ પોતાનો દાવો પુરવાર કરી શકેલ નથી અને ખોટો દાવો કરેલ હોવાનું ઠરાવી વાદીનો દાવો રદ કરેલ છે. આ કેસમાં પ્રતિવાદીઓ તરફે એડવોકેટ દિપક સી. વ્યાસ તથા નિકુંજ બી. ગણાત્રા રોકાયા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર: ગુરૂદ્વારા ચોકડી પાસે ફલાય ઓવરબ્રિજને આકર્ષક ચિત્રો સાથે રંગરૂપ આપવાનું શરૂ કરાયું
June 05, 2025 12:59 PMવિશ્વ પર્યાવરણ દિવસની જામનગર મહાનગરપાલિકા પાલિકા દ્વારા ઉજવણી
June 05, 2025 12:56 PMજામનગર જિલ્લાના એસપીનો વિશ્વ પર્યાવરણ દિવસે જિલ્લાની જનતાને સંદેશો
June 05, 2025 12:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech