જામનગરમાં સાત લાખની રકમનો ચેક પરત ફરવાના કેસમાં સોપારી ખરીદનાર વેપારીને અદાલતે બે વર્ષની સજા હુકમ કર્યો છે.
આ કેસની હકીકત એવી છે કે, જામનગર ની પ્રભાત એજન્સીના માલીક દિપેશભાઈ જયસુખભાઈ ચાંદ્રા કે જેઓ હોલસેલમાં તથા છૂટકમાં સોપારી ખરીદ વેંચાણનો વેપાર ધંધો કરે છે. તેઓ પાસેથી આઈ.એ.એસ. પાનવાલાના માલીક ઈકબાલ અબ્દુલઅઝીઝ સમા એ તેની જરૂરીયાત મુજબની રૂા. ૧૮,૦૧,૯૨૦ ની સોપારી ની ખરીદી કરી હતી અને ઉપરોકત રકમની પરત ચુકવણી માટે આઈ.એ.એસ. પાનવાલાના માલીક ઈકબાલ અબ્દુલઅઝીઝ સમાએ અલગ અલગ ચેકો આપ્યા હતા. અને જે સંબંધે ચેક રીટર્નની ફરીયાદો દીપેશભાઈ જયસુખભાઈ ચાંદ્રા એ દાખલ કરી હતી. અને જેમા સમાધાન થતા સમાધાન પૈકીની રકમ રૂા. ૭,૦૦,૦૦૦ નો ચેક આઈ.એ.એસ. પાનવાલાના માલીક ઈકબાલ અબ્દુલઅઝીઝ સમા દ્વારા આપવામાં આવ્યો હતો.
જે ચેક પ્રભાત એજન્સીના માલિક દિપેશભાઈ જયસુખભાઈ ચાંદ્રા દ્વારા પોતાની પેઢીના બેંક ખાતામાં રજુ કરતા નાણાંના અભાવે ચેક પરત ફર્યો હતો.જેથી પ્રભાત એજન્સી ના માલીક દિપેશભાઈ જયસુખભાઈ ચાંદ્રા દ્વારા આઈ.એ. એસ. પાનવાલા ના માલીક ઈકબાલ અબ્દુલઅઝીઝ સમા સામે જામનગર ની અદાલતમાં ઘી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ મુજબ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
જે કેસ જામનગરના સાતમા એડી.ચીફ.જયુડી. મેજીસ્ટ્રેટ આર.બી. ગોસાઈ ની અદાલતમાં ચાલી જતાં અદાલત દ્વારા ફરીયાદીના વકીલ ની વિસ્તૃત દલીલ તથા રજુ કરેલ કાયદાકીય મુદાઓ ધ્યાને લઈ આરોપી આઈ. એ. એસ. પાનવાલાના માલિક ઈકબાલ અબ્દુલઅઝીઝ સમા ને બે વર્ષની સાદી કેદની સજા તથા ચેકની રકમ રૂા. ૭,૦૦,૦૦૦ નો દંડ કરેલ અને દંડની રકમ ફરીયાદી ને વળતર પેટે ચુકવવા હુકમ કરેલ છે. અને જો ચેક મુજબ ની રકમ વળતર પેટે ન ચુકવે તો વધુ ચાર માસ ની સાદી કેદ ની સજાનો હુકમ કરેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવર્લ્ડ બેન્કે માપદંડ બદલતાં ભારતમાં અતિ ગરીબ ૨૭.૧ ટકાથી ઘટીને ૫.૩ ટકા થઈ ગયા
June 07, 2025 04:26 PMતમારા ઘરમાં જૂના કપડા હોય તો રાજકોટ મનપાને આપો, તમને થેલી બનાવી આપશે, જાણો સમગ્ર વિગત
June 07, 2025 04:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech