ભુગર્ભ ગટરના ગંદા પાણીના તળાવ ભરાતા અને સફાઇના અભાવથી આરોગ્ય સામે ખતરો : અવાર નવાર કરાતી રજુઆત
જામનગરના ઘાંચી કબ્રસ્તાન, પ્રાથમિક શાળા નં. 20 પાસેના વિસ્તારમાં અવાર નવાર ગટર ઉભરાતા ગંદા પાણી ચારે તરફ ફરી વળે છે જેના કારણે અહીં રહેતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો છે આ બાબતે અવાર નવાર રજુઆત કરવામાં આવે છે પરંતુ કાર્યવાહી થતી ન હોવાથી મુશ્કેલી કાયમી બની જવા પામી છે, સફાઇના અભાવના કારણે લોકોના આરોગ્ય સામે ખતરો મંડરાળ રહયો છે માટે તાકીદે યોગ્ય નિકાલ કરવા માંગણી ઉઠવા પામી છે.
શહેરના હર્ષદમીલની ચાલી, 80 ફુટ રોડ, ઘાંચી કબ્રસ્તાન પાસે સરકારી શાળા નં. 20 આવેલી છે, અહીં શાળા નજીકની ગલી અને આ વિસ્તારમાં અવાર નવાર ભુગર્ભ ગટરો છલકાય છે, તેમાં વળી ચોમાસાની સીઝનમાં ગટરો ઉભરાઇને લોકોના ઘર સુધી ગંદા પાણી પહોચે છે, લગત તંત્રને રજુઆત કરવામાં આવી હતી, અગાઉ એક બે વખત થુકના સાંધા જેવી કાર્યવાહી થઇ હતી પરંતુ આ સમસ્યા કાયમી હોય યોગ્ય ઉકેલ આવતો નથી.
ખાસ કરીને જયારે નળમાં પાણીનો વારો હોય એ દિવસે ગટરો છલકાય છે અને ખુલ્લી ગટરોના ગંદા પાણીનો ભુગર્ભમાં નિકાલ કરવામાં આવે છે જેના કારણે આ ગટરો કચરાથી ભરાઇ જાય છે અને પાણી વિસ્તારમાં ફરી વળે છે. કોર્પોરેશનમાં રજુઆત કરવામાં આવી છે પરંતુ નિકાલ થતો નથી, સફાઇનો અભાવ આંખે ઉડીને વળગે એવો છે તેમજ નિયમીત દવાનો છંટકાવ થતો નથી જેનાથી આરોગ્ય સામે ખતરો ઉભો થયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ TRP અગ્નિકાંડ બાદ મનપાના વધુ એક અધિકારી ACBના સકંજામાં, 75 લાખની અપ્રમાણસર મિલકતનો ખુલાસો
April 02, 2025 08:49 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, હવામાન વિભાગની હીટવેવની આગાહી
April 02, 2025 08:40 PMડીસા બ્લાસ્ટ કેસ: સરકાર દ્વારા કમિટીની રચના, 15 દિવસમાં રિપોર્ટ સોંપશે
April 02, 2025 07:48 PMઈદ પર એટલા ગોલગપ્પા ખાધા કે 213 બાંગ્લાદેશી હોસ્પિટલમાં દાખલ થયા, 14ની હાલત ગંભીર
April 02, 2025 07:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech