ટ્રાફિક નિયમનો ભંગ કરનારા વાહનચાલકો સાથે રહેલા બાળકોને અપાઇ ચોકલેટ

  • September 02, 2024 02:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરમાં ટ્રાફિક નિયમનો ભંગ કરનાર વાહનચાલકોના બાળકોને ચોકલેટ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો.
પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક પી.એસ.આઇ. કે.બી.ચૌહાણ તથા તેમની ટીમ દ્વારા પોરબંદરની જનતાને ચોકલેટ આપી ટ્રાફિક નિયમોનુંપાલન કરવા અપીલ કરવામાં આવેલ છે.હાલ પોરબંદર શહેરમાં પુર આવતા અને લોકોને આર્થિક નુકસાન થયું હોય તે માટે જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા દંડકીય કાર્યવાહીના બદલે વાહનચાલકોના બાળકોને ચોકલેટ આપી ટ્રાફિક નિયમોનું સંપુર્ણપણે પાલન કરવા અનુરોધ કરવામાં આવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application