ચીન ફરી ધરતીકંપથી ધ્રુજ્યું

  • January 09, 2025 09:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બે દિવસ પહેલા જ ચીનના તિબેટમાં આવેલા ભૂકંપ્ની યાદ તાજી કરવી દે તેવું વધુ એક કંપ્ન અનુભવાયુ હતું અને ચીનના શિનજિયાંગમાં 4.3ની તીવ્રતાનો ધરતીકંપ આવતા લોકોમાં ફરી ગભરાટનો માહોલ છવાયો છે.રાષ્ટ્રીય ભૂકંપશાસ્ત્રીય કેન્દ્રના અહેવાલ મુજબ, હાલમાં કોઈ જાનમાલના નુકસાનના સમાચાર નથી. એક્સ પર પોસ્ટ કરીને લખવામાં આવ્યું હતું કે ભૂકંપ્ની ઊંડાઈ પૃથ્વીથી 50 કિમી નીચે હતી.
બે દિવસ પહેલા, 7 જાન્યુઆરીના રોજ, જીજાંગમાં આવેલા ભૂકંપમાં ભારે વિનાશ થયો હતો, જેમાં 126 લોકો મૃત્યુ પામ્યા હતા. સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના અહેવાલ મુજબ, ઝિઝાંગ પ્રદેશ એક સંવેદનશીલ વિસ્તાર છે, જ્યાં ભૂકંપ્ની સંભાવના રહે છે.
ગયા મંગળવારે (7 જાન્યુઆરી) તિબેટના શિગાત્સેમાં 6.8 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં ઓછામાં ઓછા 126 લોકો માયર્િ ગયા હતા અને 188 લોકો ઘાયલ થયા હતા. પાડોશી દેશ નેપાળમાં પણ ભૂકંપ્ના આંચકા અનુભવાયા હતા જેના કારણે ઇમારતો ધ્રુજવા લાગી હતી અને લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી આવ્યા હતા.

તિબેટના સૌથી પવિત્ર શહેરોમાંનું એક
શિગાજેને શિગાસ્તે તરીકે પણ ઓળખવામાં આવે છે જે ભારતીય સરહદની નજીક છે. શિગાત્સેને તિબેટના સૌથી પવિત્ર શહેરોમાંનું એક માનવામાં આવે છે. તે તિબેટીયન બૌદ્ધ ધર્મના એક મુખ્ય વ્યક્તિ, પંચેન લામાનું પરંપરાગત સ્થાન છે. તિબેટમાં, પંચેન લામા દલાઈ લામા પછી બીજા સૌથી શક્તિશાળી આધ્યાત્મિક નેતા છે. ભૂકંપ્નું કેન્દ્રબિંદુ ડિંગરી કાઉન્ટીના ત્સોગો શહેર હતું, જે 20 કિલોમીટરની ત્રિજ્યામાં લગભગ 6,900 લોકોની વસ્તી ધરાવે છે. આ વિસ્તારમાં 27 ગામો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application