ગઇકાલે સાંજે અને વ્હેલી સવારે ઠંડો પવન ફુંકાતા ટાઢોડુ: જનજીવન પર ભારે અસર
હાલારના જનજીવન ઉપર ઠંડીની ભારે અસર થઇ છે. આગામી દિવસોમાં હજુ કાતિલ ઠંડી પડશે તેવી હવામાન ખાતાની આગાહી આવી છે ત્યારે લોકોમાં અત્યારથી જ ફફડાટ ફેલાયો છે. લોકોએ એસી, પંખા બંધ કરી દીધા છે અને ઘરમાં પણ તાપણાનો સહારો લીધો છે ત્યારે સતત 18 દિવસથી જામનગર સહિત સમગ્ર હાલારમાં ટાઢોડુ યથાવત રહ્યું છે. જેના લીધો જીરાના પાકમાં આગામી દિવસોમાં સારો ફાયદો થશે તેમ ખેતીવાડી નિષ્ણાંતોનું કહેવું છે. જો કે આજે ઠંડીનું પ્રમાણ ગઇકાલ કરતા વઘ્યું છે અને આગામી દિવસોમાં વધુ ઠંડી પડે તેવી શકયતા છે. આજે સવારે આછેરી ઝાકળ જોવા મળી હતી, જો કે હવામાં ભેજ 78 ટકા રહ્યો હતો. આજે સવારથી ગઇકાલ સાંજની જેમ જ ઠંડો પવન ફુંકાતા વોકીંગ કરનારાઓને મુશ્કેલી પડી હતી.
કલેકટર કચેરીના ક્ધટ્રોલ મના જણાવ્યા મુજબ લઘુતમ તાપમાન 13 ડીગ્રી, મહત્તમ તાપમાન 28.5 ડીગ્રી રહ્યું હતું, હવામાં ભેજ 78 ટકા અને પવનની ગતિ 15 થી 20 કિ.મી. પ્રતિકલાક રહી હતી. ઠંડીને કારણે દાંડીયા હનુમાન, ભીડભંજન, ટાઉનહોલ પાસે ડીકેવી કોલેજ, ખોડીયાર કોલોની વિસ્તારમાં ફુટપાથ પર સુતા કોર્પોરેશનના સેલ્ટર હોમમાં ખસેડવાની કામગીરી પણ શ કરવામાં આવી છે, જામનગર શહેરમાં ચા, કોફી, કાવો સહિતની વસ્તુઓમાં વેંચાણ વધી ગયું હતું, ગામડાઓમાં પણ ઠંડીની અસર જોવા મળી હતી, છેલ્લા બે દિવસથી જામનગરથી બહારગામ જતી એસ.ટી. બસ અને ખાનગી બસોમાં પણ મુસાફરોની સંખ્યા થોડી ઘટેલી જોવા મળી હતી. બીજી તરફ ગરમ કપડાની બજારમાં પણ વેંચાણ વધી ગયું હતું અને લોકો સ્વેટર, શાલ, મફલર, જેકેટ અને અન્ય ગરમ કપડા ખરીદવા માટે બજારમાં જોવા મળ્યા હતાં, આ વખતે લગભગ એકાદ મહીનો ઠંડી મોડી શ થઇ છે, હવે આખો મહીનો ઠંડીનો રહે તેવી શકયતા છે તેમ હવામાન ખાતાનું કહેવું છે.
હાલારના તાલુકા મથકો ખંભાળીયા, દ્વારકા, કલ્યાણપુર, જામજોધપુર, ભાણવડ, લાલપુર, કાલાવડ, ધ્રોલ, જોડીયા, સલાયા, ફલ્લા, ભાટીયા સહિતના ગામોમાં પણ આજ સવારથી ઠંડક જોવા મળી છે. જામનગરની આજુબાજુમાં ગામડાઓમાંથી હટાણુ કરવા આવતા લોકોને પણ તકલીફનો સામનો કરવો પડયો છે જયારે સવારે 5 થી 9 દરમ્યાન એસ.ટી.ના બસ વ્યવહાર ઉપર પણ અસર પડી છે.
રાજયના હવામાન ખાતાએ જણાવ્યું છે કે, આગામી દિવસોમાં ઠંડી વધશે અને તાપમાન 10 ડીગ્રી આસપાસ થઇ જશે ત્યારે ગામડાઓમાં પણ ઠંડીની ભારે અસર જોવા મળી છે, ગઇકાલે સાંજે જે રીતે ઠંડો પવન ફુંકાયો હતો તે જોતા ગામડાઓમાં પણ વ્હેલી બજારો બંધ થઇ ગઇ હતી, જામનગરમાં પણ ગરમ પીણાનું વેંચાણ વઘ્યું હતું, આજે સવારે વોકીંગ કરનારાઓને પણ ઠંડીની અસર જોવા મળી હતી. છેલ્લા પાંચ દિવસથી સતત ઝાકળ જેવું વાતાવરણ જોવા મળ્યું હતું, જેના કારણે હાઇવે પર વાહન ચાલકો ખુબ જ પરેશાન થયા હતાં, આજે ઝાકળમાં રાહત છે પરંતુ ભેજનું પ્રમાણ 76 ટકા થઇ ગયું છે જેથી વળી પાછી ઠંડી આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપરોઢીયે ઝાકળ વચ્ચે જામનગરમાં તાપમાન ૩૩.૫
February 24, 2025 05:41 PMજામનગર ડિસ્ટ્રિક્ટ બેંક ડિરેક્ટર દ્વારા અકસ્માતે મૃત્યુ પામેલા સભાસદના પરિવારને રૂ. ૫ લાખનો ચેક
February 24, 2025 05:28 PMજામનગરમાં આર.આર.આર સેન્ટરમાં અત્યાર સુધીમાં ૪૧૬ નાગરિકો અલગ અલગ ચીજવસ્તુઓ મૂકી ગયા
February 24, 2025 05:16 PMઆવા અનોખા લગ્ન વિશે ક્યારેય ન તો ક્યાંય સાંભળ્યું હશે કે ન તો જોયું હશે!
February 24, 2025 05:00 PMસિનેમા હોલમાં અનલિમિટેડ પોપકોર્નની ઓફર, લોકોએ ડ્રમ અને તપેલા લઈ લગાવી લાંબી લાઇન!
February 24, 2025 04:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech