રાજકોટ મહાનગરપાલિકાના વર્ષ ૨૦૨૩–૨૪ના બજેટમાં કરેલ નિર્ણય અનુસંધાને બાળકો ગાંધી જીવનમાંથી પ્રેરણા મેળવે તેવા ઉમદા હેતુથી આવતીકાલે સ્વાતંય પર્વ નિમિત્તે મહાત્મા ગાંધી મ્યુઝિયમમાં ૧૨ વર્ષ કે તેનાથી નાની વયના બાળકો માટે નિ:શુલ્ક પ્રવેશ અપાશે.
વિશેષમાં આ અંગેની જાહેરાત કરતા ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ અને શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયાએ જણાવ્યું હતું કે, મોહનદાસ ગાંધી વિધાલય (આલ્ફ્રેડ હાઇસ્કુલ)માં પૂય મહાત્મા ગાંધીજીના જીવનના આદર્શેા, જીવનચરિત્રો દર્શાવતું મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે જેનું લોકાર્પણ તા.૩૦–૯–૨૦૧૮નાં રોજ માન. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીનાં હસ્તે કરવામાં આવ્યું હતું. નાના બાળકો ગાંધીજીના જીવનમાંથી પ્રેરણા મેળવે તેવા ઉમદા હેતુથી મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત માટે ૧૨ વર્ષ કે તેનાથી નાની વયના બાળકો માટે નિ:શુલ્ક પ્રવેશ માટે વર્ષ ૨૦૨૩–૨૪ના બજેટમાં નિર્ણય કરવામાં આવ્યો હતો જેના અનુસંધાને આવતીકાલે તા.૧૫–૮–૨૦૨૪ સ્વાતંય પર્વના દિવસે ૧૨ વર્ષ કે તેનાથી નાની વયના બાળકો માટે નિ:શુલ્ક પ્રવેશ આપવામાં આવશે.
આ મ્યુઝિયમમાં પૂય ગાંધીજીના જીવનના આદર્શેા, જીવનચરિત્રો ઓડિયો, વિયુઅલ અને એલ.ઇ.ડી. સ્ક્રીન મારફત દર્શાવામાં આવ્યા છે. પૂય મહાત્મા ગાંધી મ્યુઝિયમમાં મ્યુઝિયમ ઉપરાંત વિવિધ આકર્ષણો વિકસાવવામાં આવ્યા છે જેમાં, ટિકિટ વિન્ડો, કલોકમ, મુલાકાત માટે ગાઇડની સુવિધા, વિશાળ પાર્કિગ વ્યવસ્થા, ગાર્ડન, લાઇબ્રેરી, વી.આઇ.પી. લોંજ, કોન્ફરન્સ મ, સોવિનીયર શોપ, રેસ્ટોરન્ટ સહિતની સુવિધા છે. દરરોજ રાત્રે ૭ વાગ્યે પૂય ગાંધીજીના જીવનના આદર્શેા દર્શાવતો લાઇટ એન્ડ સાઉન્ડ શો પ્રદર્શિત કરાય છે. મહાત્મા ગાંધી મ્યુઝિયમના લોકાર્પણથી આજ સુધીમાં ૧૯૩૮ વિદેશી મુલાકાતીઓ, ૯૦,૬૯૭ બાળકો સહીત કુલ ૩,૧૩,૭૯૬ મુલાકાતીઓએ મુલાકાત લઇ અભિભૂત થયા છે. દર વર્ષે ૨૬મી જાન્યુઆરી, ૩૦મી જાન્યુઆરી, ૧૫મી ઓગસ્ટ અને ૨–જી ઓકટોબર નિમિતે ૧૨ વર્ષ કે તેથી ઓછી ઉંમરના બાળકો માટે નિ:શુલક પ્રવેશ આપવામાં આવે છે.
રાજકોટ શહેરના ૧૨ વર્ષ કે તેથી ઓછી ઉંમરના બાળકો પૂય મહાત્મા ગાંધીજીના જીવન પરથી પ્રેરણા અને આદર્શ મેળવે તે માટે આવતીકાલે વધુને વધુ બાળકો આ નિ:શુલ્ક સેવાનો લાભ મેળવે તે માટે મહાપાલિકા દ્રારા શહેરીજનોને જાહેર આમંત્રણ પાઠવાયું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જીલ્લાના વિવિધ ગામોની મુલાકાત લઇ લોકો સાથે સંવાદ કર્યો
February 24, 2025 04:19 PMબાંગ્લાદેશમાં ટોળાએ એરબેઝ પર કર્યો હુમલો, સૈનિકોએ અનેક રાઉન્ડ ગોળીબાર કરતા એકનું મોત, અનેક ઘાયલ
February 24, 2025 03:55 PMડેંગ્યુ, ટાઇફોઇડ, કમળો સહિતના ૧૯૪૬ કેસ; તાવથી બાળકનું મૃત્યુ
February 24, 2025 03:48 PMજેતપુર–રાજકોટ સિકસલેન રોડના કામમાં યોગ્ય ડાયવર્ઝનના અભાવે દિવસભર ટ્રાફિકજામ
February 24, 2025 03:46 PMખોદકામ કરી છ માસથી રસ્તા કામ રઝળાવ્યું લતાવાસીનું ટોળું મહાપાલિકામાં ધસી આવ્યું
February 24, 2025 03:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech