સમગ્ર હાલાર પંથકનાં વૈષ્ણવો માટે આનંદનો અવસર: ધ્વજારોહણ-વિવાહ ખેલ સહિતનાં વિવિધ મનોરથ પણ યોજાશે
'છોટીકાશી' જામનગરમાં ખંભાળીયા ગેઇટ નજીક આવેલાં તથા શ્રી મોટી હવેલી ટ્રસ્ટ સંચાલિત શ્રી દ્વારકાધીશનાં પ્રાચીન મંદિરમાં તા. ૧૯/૧/૨૦૨૫ ને પોષ વદ પાંચમને રવિવારે સાંજે ૪ થી ૯ દરમ્યાન બડા મનોરથ - છપ્પન ભોગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
શ્રી પુષ્ટી સંપ્રદાય મોટી હવેલી ટ્રસ્ટ સંચાલિત શ્રી દ્વારકાપુરી મંદિરમાં પુષ્ટી સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી તથા શ્રી મોટી હવેલીનાં ગાદિપતિ પૂ.પા.ગો.શ્રી ૧૦૮ હરીરાયજી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી તથા પૂ.પા.ગો.શ્રી ૧૦૮ વલ્લભરાયજી મહોદયનાં માર્ગદર્શન હેઠળ મુખ્યાજી રમેશભાઇ દ્વારા પ્રથમ વખત દ્વારકાપુરી મંદિરમાં બડા મનોરથ - છપ્પન ભોગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
તા. ૧૯/૧ ને રવિવારે સાંજે ૪ થી ૯ દરમ્યાન વૈષ્ણવોને છપ્પન ભોગનાં દર્શનનો લાભ મળશે. મહોત્સવમાં મોટી હવેલીનાં પૂ.પા.ગો.શ્રી વલ્લભરાયજી મહોદયનું સાંનિધ્ય તથા દર્શનનો લાભ મળશે. તેમજ શ્રી આણદાબાવા સેવા સંસ્થાનાં મહંત દેવપ્રસાદજીની પણ પ્રેરક ઉપસ્થિતિ રહેશે.
આ મહોત્સવને અનુલક્ષીને તા. ૧૭/૧ ને શુક્રવારે સવારે નૂતન ધ્વજારોહણ તથા સાંજે વિવાહ ખેલ મનોરથ અને તા. ૧૮/૧ ને શનિવારે બપોરે પણ નૂતન ધ્વજારોહણ મનોરથ યોજાશે.
છપ્પન ભોગ મહોત્સવમાં વિવિધ જનપ્રતિનિધિઓ અર્થાત સત્તાધીશો સહિતનાં નેતાઓ તેમજ વિવિધ સમાજનાં અગ્રણીઓ અને શ્રેષ્ઠીઓ અતિથી થશે અને પુષ્ટી સંપ્રદાયનાં આ અનેરા ઉત્સવનો પુણ્યલાભ પ્રાપ્ત કરશે.
છપ્પન ભોગ મહોત્સવ દરમ્યાન પાર્કીંગની વ્યવસ્થા શ્રી રામબાગ, ભાટીયા મહાજન વાડી, ખંભાળીયા ગેઇટ પાસે રાખવામાં આવી છે.વડીલ વૈષ્ણવો માટે દર્શનની વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
છપ્પન ભોગ મહોત્સવનાં અલૌકિક દર્શનનો લાભ લેવા સમગ્ર હાલારનાં વૈષ્ણવોને મુખ્યાજી રમેશભાઇ તથા છપ્પન ભોગ મહોત્સવ સમિતિ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવે છે.વધુ માહિતી માટે મુખ્યાજી રમેશભાઇ (મો. ૯૪૨૯૫ ૫૭૦૪૫) પર સંપર્ક કરવા જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકશ્મીરની આતંકવાદી ઘટનાનો જામનગરમાં કોંગ્રેસ દ્વારા ટાઉનહોલ ખાતે વિરોધ પ્રદર્શન
April 23, 2025 07:34 PMજામનગરમાં SOG PI નો ડુપ્લીકેટ રાઇટર ઝડપાયો, ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ વિગતો આપી
April 23, 2025 07:17 PMજામનગર ABVP દ્વારા કશ્મીરના પહલગામમાં આતંકવાદી ઘટનાનો વિરોધ કરાયો
April 23, 2025 07:16 PMપહલગામ હુમલા સરકાર એક્શનમાં, PM આવાસ પર CCSની બેઠક શરૂ
April 23, 2025 07:12 PMજામનગરમાં તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
April 23, 2025 06:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech