જામનગર, ધ્રોલ અને ખંભાળીયામાં શોભાયાત્રા: ઠેર-ઠેર શિવપૂજા, લઘુરુદ્ર યજ્ઞ, દ્રાભિષેક, નૂતન ધ્વજારોહણ, દિપમાળા, મહાઆરતી, બટુક ભોજન સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું: સવારના પાંચ વાગ્યાથી રાત્રિના 11 વાગ્યા સુધી શિવ મંદિરોમાં ભક્તો શિવને રીઝવવા પૂજા-અર્ચના કરશે: દ્વારકાના નાગેશ્ર્વરમાં મહાઆરતી સહિત વિશિષ્ટ પુજા: બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા શિવરાત્રી પૂર્વે શોભાયાત્રા યોજાઇ
જામનગર સહિત સમગ્ર હાલારમાં મહાશિવરાત્રિના પવિત્ર પર્વ નિમિતે શિવાલયોમાં હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠયો છે, જામનગર, ધ્રોલ, ખંભાળીયામાં શોભાયાત્રાનું પણ આયોજન કરાયું છે, ઠેર-ઠેર બમ-બમ ભોલે... નો નાદ સંભળાઇ રહ્યો છે, ઠેર-ઠેર શિવપૂજા, લઘુરુદ્ર યજ્ઞ, દ્રાભિષેક, નૂતન ધ્વજારોહણ, દિપમાળા, મહાઆરતી, બટુક ભોજન સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે, જ્યારે સવારના પાંચ વાગ્યાથી રાત્રિના 11 વાગ્યા સુધી શિવ મંદિરોમાં ભક્તો શિવને રીઝવવા પૂજા-અર્ચના કરશે અને શિવ ભક્તો ભાંગનો પ્રસાદ આરોગશે. આજે બપોરે સિઘ્ધનાથ મહાદેવ મંદિર પાસે ભગવાન આશુતોષની શાસ્ત્રોકત વિધીથી પુજા કરવામાં આવી હતી, દ્વારકાના નાગેશ્ર્વર, જામનગરના સિઘ્ધનાથ, નાગેશ્ર્વર, ભીડભંજન, કાશી વિશ્ર્વનાથ સહિતના શિવ મંદિરોમાં ભગવાન શિવને માથુ ટેકવવા લાંબી-લાંબી કતારો જોવા મળી હતી, આજે સવારે 11 વાગ્યા આસપાસ ભગવાન આશુતોષની પાલખીનું સિઘ્ધનાથ મંદિર પાસે પુજા-અર્ચન કરાયું હતું જેમાં અનેક અગ્રણીઓ જોડાયા હતાં, બપોરે 3 વાગ્યે સિઘ્ધનાથથી વિશાળ શિવ શોભાયાત્રા નિકળશે, ટમાં અઘોરી ભષ્મ રાસ, શિવ વિલાપ દ્રશ્યો, રિમોટ ક્ધટ્રોલથી આતશબાજી, સરબત અને પ્રસાદ વિતરણ સહિતના કાર્યક્રમો યોજાયા છે.
દ્વારકાના નાગેશ્ર્વર મંદિર તેમજ ભડકેશ્ર્વર મહાદેવના મંદિરમાં વિશિષ્ટ પુજા, શિવ શણગાર અને મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો છે, સવારના 4 વાગ્યાથી શિવ ભકતો બમ બમ ભોલેનો નાદ લગાવી રહ્યા છે. શહેરના અનેક શિવમંદિરોમાં લઘુદ્ર યજ્ઞ, મહાઆરતી, બિલ્વપત્ર અર્પણ, દુગ્ધાભિષેક, બટુક ભોજન, વિશિષ્ટ શિવ પુજા, અભિષેક પુજા, ચાર પ્રહરની પુજા, દ્રી સહિતના અનેકવિધ કાર્યક્રમો થઇ રહ્યા છે.
હાલારના ગામડાંઓની વાત લઇએ તો, ભાણવડ નજીક કિલ્લેશ્ર્વર, ઇન્દ્રેશ્ર્વર, અને બિલેશ્ર્વરમાં વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જામજોધપુરના સિદસર વિસ્તારમાં ટાંકેશ્ર્વર, સતાપરમાં સપ્તેશ્ર્વર, લાલપુર નજીક ભોળેશ્ર્વર, ધુનડા નજીક ભાયેશ્ર્વરમાં સવારે 8 થી રાત્રિના 12 વાગ્યા સુધી મહાઆરતી, ભજન અને શિવવાણીનો ધાર્મિક કાર્યક્રમ યોજાઇ રહ્યા છે, જ્યારે ગોપની બાજુમાં ગોપનાથ, ધ્રોલમાં વૈજનાથ તેમજ સચાણાના મહાદેવના મંદિરમાં ભગવાન શિવનો જય જય કાર થઇ રહ્યો છે, દર વખતની જેમ ખીમરાણામાં આવેલા ભવનાથ મહાદેવના મંદિરમાં વિશિષ્ટ પૂજા, શિવ શોભાયાત્રા અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે અને શિવભકતોએ મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવી છે. જ્યારે ખીમેશ્ર્વર મહાદેવના મંદિરમાં પણ ભગવાનનો શણગાર સહિતના વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત સડોદરમાં ફૂલનાથ મહાદેવના મંદિરે ચાર પ્રહરની આરતી થશે તેમજ માંડાસણ ગામની રાસમંડળીનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે, પીપળેશ્ર્વર મહાદેવ મંદિરમાં ધ્વજારોહણ, જામનગરમાં સમસ્ત બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ દ્વારા શિવ પરિવારની ઝાંખીના દર્શન અને સરબત વિતરણ, બેડેશ્ર્વરના અખંડેશ્ર્વર મહાદેવ મંદિરમાં સવારે ધ્વજારોહણ, મહાઆરતી અને મહાપ્રસાદ તેમજ દરેડમાં સિદ્ધેશ્ર્વર મહાદેવના મંદિરમાં રુદ્રાભિષેક, મહાપૂજા, દેવ એજ્યુ. એન્ડ મેડીકલ ફાઉન્ડેશન દ્વારા થશે, જેમાં તક્ષશિલા, પરશુરામ ધામ પરિવાર અને મંદિર નિમર્ણિ સમિતિ પણ જોડાશે, સાંજે 6 થી 9 વાગ્યા દરમ્યાન દ્રાભિષેક, મહાપૂજા અને આરતી થશે.
વર્ષો જુના જોડીયાના બાદનપર પાસે આવેલા કનકેશ્ર્વર મહાદેવ મંદિરમાં પણ ૐ નમ: શિવાયનો નાદ ગુંજી ઉઠયો છે, વિશિષ્ટ પૂજા અને લઘુરુદ્રનો કાર્યક્રમ યોજાયો છે, મોટા વડાળાના વર્ષો જુના પ્રગટેશ્ર્વર મહાદેવના મંદિરમાં શિવનાદ ગૂંજી ઉઠશે, કાલાવડના કલ્યાણેશ્ર્વર, પીપળેશ્ર્વર, ધીંગેશ્ર્વર સહિતના મંદિરોમાં ભગવાન શિવની આરાધના થશે, મોડપર પાસે તુંગેશ્ર્વર, ખંઢેરા નજીક સુખનાથ, સોયલ નજીક સોયલેશ્ર્વર, ફલ્લામાં તપેશ્ર્વર, ખંભાળીયામાં આજે શોભાયાત્રા નિકળશે, રામનાથ અને ખામનાથ મંદિરમાં ભક્તો શિવનો જય જય કાર બોલાઇ રહ્યો છે, ધ્રોલમાં પણ ભગવાન શિવની શોભાયાત્રા નિકળશે.
આ ઉપરાંત ગાંધીનગરમાં ઇચ્છેશ્ર્વર મહાદેવના મંદિરમાં ભવ્ય દર્શન, આરતી, મધ્ય આરતી, સંધ્યા શ્રૃંગાર આરતી અને રાત્રિના મહાઆરતી અને મહાપૂજાના શ્રૃંગાર દર્શન, સાંજે 5 થી 10 વાગ્યા સુધી યોજાશે, જ્યારે દરેડમાં આવેલ નિલકંઠ મહાદેવના મંદિરમાં 1000 કમળ પૂષ્પનો અભિષેક શિવરાત્રિના રાત્રે 10 થી 12 સુધી યોજાશે, ખંભાળીયામાં પણ રાબેતા મુજબ શિવની વરણાંગી નીકળશે, જેમાં હજારો ભક્તો જોડાશે.
ગોકુલનગર રડાર રોડ પાસે આવેલ મુક્તેશ્ર્વર મહાદેવના મંદિરમાં વિશિષ્ટ પૂજા સહિતના કાર્યક્રમો યોજાશે. શહેરમાં વર્ષોજુના હજારેશ્ર્વર મહાદેવના મંદિરમાં ભગવાન શિવની આરાધના કરવામાં આવશે તેમજ વિશિષ્ટ દર્શન અને મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો છે, વૈજનાથ, કુબેરભંડારી, હાટકેશ્ર્વર, અખંડેશ્ર્વર, ઇચ્છેશ્ર્વર, પ્રતાપેશ્ર્વર, જડેશ્ર્વર, રામેશ્ર્વર, ચંદ્રમૌલેશ્ર્વર, કાલેશ્ર્વર, જંગલેશ્ર્વર, હેમેશ્ર્વર, તાડકેશ્ર્વર, સુખનાથ, જાગનાથ, સર્વેશ્ર્વર, ભૂતનાથ, કલ્યાણેશ્ર્વર, હંસેશ્ર્વર, નાગેશ્ર્વર, સોમનાથ, બાલનાથ, ત્ર્યંબકેશ્ર્વર, નીલકંઠ, બદરી કેદારનાથ, અમરનાથ, નર્મદેશ્ર્વર સહિતના અનેક શિવ મંદિરોમાં ભગવાન શિવનો જય જય કાર થઇ રહો છે અને ઠેર-ઠેર બમ-બમ ભોલે અને મહાદેવ હર... નો નાદ ગુંજી ઉઠયો છે અને ભક્તો શિવમય બની ગયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationGPSCની ભરતી પરીક્ષા માટે આવતીકાલથી ભરાશે ફોર્મ, 1751 જગ્યાઓ માટે ભરતી
February 27, 2025 11:53 PMગુજરાતમાં શિક્ષક ભરતી: 9 માર્ચે જૂના શિક્ષકોને મળશે નિમણૂક પત્રો
February 27, 2025 08:48 PMપ્રયાગરાજ મહાકુંભમાં રચાયો ઇતિહાસ: ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં ત્રણ મહારેકોર્ડ નોંધાયા
February 27, 2025 08:36 PMબનાસકાંઠામાં કાળો કેર: બસ-બોલેરોની ટક્કરમાં એક જ પરીવારના પાંચના મોત
February 27, 2025 08:35 PMજામનગર : પ્રિન્ટેન્ડ કાગળો અથવા કાગળોની પ્લેટમાં અપાતા ખાદ્ય પદાર્થને લઈને ફૂડ વિભાગ એક્શન મોડમાં
February 27, 2025 06:49 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech