૩૦ મે થી ભાવનગર-ઓખા એક્સપ્રેસ ટ્રેનના સમયમાં ફેરફાર

  • May 26, 2025 10:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 વર્તમાન સમય કરતાં આ ટ્રેન ઓખા બે કલાક વહેલી પહોંચશે 

મુસાફરોની સુવિધા અને તેમની માંગને ધ્યાનમાં રાખીને, રેલવે વહીવટીતંત્રે ભાવનગર-ઓખા એક્સપ્રેસ ટ્રેન ના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. આ સમયનો ફેરફાર ૩૦.૦૫.૨૦૨૫ થી આગામી સૂચના સુધી અમલ માં રેહશે. ટ્રેન ૧૯૨૦૯ ભાવનગર-ઓખા એક્સપ્રેસ ભાવનગર ટર્મિનસથી ઓખા માટે ૨૨.૧૦ વાગ્યે ઉપડશે અને બીજા દિવસે ૧૧.૦૦ વાગ્યે ઓખા પહોંચશે. આમ આ ટ્રેન તેના વર્તમાન સમય કરતાં લગભગ 2 કલાક વહેલી ઓખા પહોંચશે. સુરેન્દ્રનગર-ઓખા સેક્શન વચ્ચે આ ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને ભાવનગર ટર્મિનસથી સુરેન્દ્રનગર સુધી આ ટ્રેન તેના વર્તમાન સમયપત્રક મુજબ ચાલશે.


 માર્ગમાં આ ટ્રેનનો આગમન/પ્રસ્થાન સમય નીચે મુજબ રહેશે: 

સુરેન્દ્રનગર (૧.૨૫/૧.૩૫), દિગસર (૧.૪૮/૧.૪૯), થાન (2.12/2.14), દલડી (2.28/2.29), વાંકાનેર (2.42/2.47), અમરસર (2.57/2.58), સિંધાવદર (3.07/3.08), કણકોટ (3.17/3.18), રાજકોટ (3.46/3.56), પડધરી (4.21/4.22), હડમતિયા (4.40/4.41), જાલીયા દેવાણી (4.49/4.50), જામવંથલી (5.10/5.12), અલિયાવાડા (5.23/5.24), હાપા (5.40/5.50), જામનગર (6.02/6.07), લાખાબાવળ (6.23/6.24), પીપલી (6.34/6.35), કાનાલુસ (6.44/6.46), મોડપુર (7.00/7.01), ખંભાળિયા (7.20/7.22), ભાતેલ (7.41/7.42), ભોપલકા (7.57/7.58), ભાટિયા (8.10/8.12), દ્વારકા (9.50/9.55), ભીમરાણા (10.23/10.24), મીઠાપુર (10.29/10.30) અને ઓખા (૧૧.૦૦ વાગ્યે).


આ ટ્રેનના સ્ટોપેજ, સંરચના અને સમય અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે....



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application