સરસંઘચાલક મોહન ભાગવત કેરળના પાંચ દિવસના પ્રવાસે છે.અહીં એક સભાને સંબોધતા તેમણે કહ્યું કે ભારતની તાકાત એકતામાં રહેલી છે, જે સફળ અને વિજયી છે. આરએસએસ વડાએ કહ્યું કે ભારત એક શકિતશાળી રાષ્ટ્ર્ર તરીકે ઉભરી રહ્યું છે. હિન્દુ જીવનશૈલી તમામ સમસ્યાઓનું સમાધાન પૂં પાડે છે અને વિશ્વમાં પરમ શાંતિ લાવે છે. ભાગવતે કહ્યું કે સઘં હિન્દુ સમાજને એક કરી રહ્યું છે અને ધર્મના રક્ષણ દ્રારા વિશ્વને અર્થપૂર્ણ ઉકેલો પૂરા પાડી રહ્યું છે.
તેમણે કહ્યું, પરિવર્તન ફકત અવતારોના આગમનથી જ થતું નથી. જે લોકો પોતાનું રક્ષણ કરી શકતા નથી તેમને ભગવાન પણ બચાવી શકતા નથી. આપણે ભારતના બાળકો છીએ. જો લાખો બાળકો હોવા છતાં આપણી માતૃભૂમિ નબળી પડી જાય, તો આપણી ફરજ શું છે? આ ફરજ પૂર્ણ કરવા માટે આપણને શકિતની જર છે, શકિતને અસરકારક બનાવવા માટે આપણને શિસ્ત અને જ્ઞાનની જર છે. પરિસ્થિતિઓ ગમે તે હોય, ધ્ઢ નિશ્ચય અને હેતુની અતૂટ ભાવના જરી છે.
આરએસએસનું મુખ્ય મિશન
તેમણે કહ્યું કે આવા માનવ વિકાસને પ્રોત્સાહન આપવું એ સંઘનું મુખ્ય મિશન છે. તેમણે કહ્યું કે ભારત પણ વિવિધ સંઘર્ષેાનો સામનો કરી રહ્યું છે – ખેડૂતો, ગ્રાહકો, કામદારો અને શાસક અને વિપક્ષી પક્ષો પણ આંદોલન કરી રહ્યા છે. તેમણે કહ્યું કે યુદ્ધો સતત વધી રહ્યા છે, જેના કારણે સમસ્યાઓની યાદી વધી રહી છે. જોકે, તેમણે કહ્યું કે, આ મુદ્દાઓનો ઉકેલ ભારતમાં જ રહેલો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech