ભારતનું ચંદ્રયાન–૩ સંભવત: ચંદ્રના સૌથી જૂના ક્રેટર્સમાંથી એક પર ઉતયુ હતું. મિશન અને ઉપગ્રહોમાંથી મળેલી તસવીરોનું વિશ્લેષણ કરનારા વૈજ્ઞાનિકોએ આ શકયતા વ્યકત કરી છે. ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી અને ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના સંશોધકોએ જણાવ્યું કે ચદ્રં જે ક્રેટર પર છે તે નેકટેરિયનનો સમયગાળો ૩.૮૫ અબજ વર્ષ જૂનો છે અને તે ચદ્રં પરનો સૌથી જૂનો સમયગાળો છે.કોઈપણ ગ્રહ, ઉપગ્રહ અથવા અન્ય અવકાશી પદાર્થ પરના ખાડાને ક્રેટર કહે છે. આ ક્રેટર્સ વાળામુખી ફાટવાથી બને છે. આ સિવાય યારે ઉલ્કા પિંડ સાથે અથડાય છે ત્યારે પણ ક્રેટર્સ બને છે.
ભૌતિક સંશોધન પ્રયોગશાળાના પ્લેનેટરી સાયન્સ વિભાગમાં એસોસિયેટ પ્રોફેસર એસ. વિજયને કહ્યું કે ચંદ્રયાન–૩ યાં લેન્ડ થયું છે તે એક અનોખી ભૂસ્તરશાક્રીય જગ્યા છે, યાં અન્ય કોઈ મિશન પહોંચ્યું નથી.
મિશનના રોવરમાંથી મળેલી તસવીરો આ અક્ષાંશ પર રોવર દ્રારા લેવામાં આવેલી ચંદ્રની પ્રથમ તસવીરો છે. આ દર્શાવે છે કે સમય જતાં ચંદ્રનો વિકાસ કેવી રીતે થયો. યારે કોઈ તારો કોઈ ગ્રહ અથવા ચદ્રં જેવા મોટા શરીરની સપાટી સાથે અથડાવે છે, ત્યારે એક ખાડો બને છે અને તેમાંથી દુર થયેલી સામગ્રીને ઇજેકટા કહેવામાં આવે છે.
ઈકારસ જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસના લેખક વિજયને કહ્યું કે યારે તમે રેતી પર બોલ ફેંકો છો, ત્યારે રેતીનો કેટલોક ભાગ દુર થઈ જાય છે અથવા બહારની તરફ ઉછળે છે અને નાના ઢગલામાં ફેરવાઈ જાય છે. ઇજેકટા પણ એ જ રીતે બને છે.
ચંદ્રયાન–૩ આવા જ એક ક્રેટર પર ઉતયુ હતું – જેનો વ્યાસ લગભગ ૧૬૦ કિલોમીટર છે અને ફોટોગ્રાસ દર્શાવે છે કે તે લગભગ અર્ધ–ગોળાકાર માળખું છે. સંશોધકોએ જણાવ્યું હતું કે આ ખાડાનો અડધો ભાગ છે અને બાકીનો અડધો ભાગ દક્ષિણ ધ્રુવ – એટકેન બેસિનના ઇજેકટા હેઠળ દટાયેલો હોઈ શકે છે.
પ્રજ્ઞાનને ચંદ્રયાન–૩ના લેન્ડર વિક્રમ દ્રારા ચંદ્રની સપાટી પર ઉતારવામાં આવ્યું હતું. ઈસરો દ્રારા પ્રક્ષેપિત આ ચંદ્રયાન, ૨૩ ઓગસ્ટ, ૨૦૨૩ ના રોજ ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીક સોટ લેન્ડિંગ કયુ હતું. ૨૬ ઓગસ્ટ ૨૦૨૩ના રોજ ચંદ્રયાન યાં ઉતયુ તે સ્થળનું નામ શિવ શકિત પોઇન્ટ રાખવામાં આવ્યું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જીલ્લાના વિવિધ ગામોની મુલાકાત લઇ લોકો સાથે સંવાદ કર્યો
February 24, 2025 04:19 PMબાંગ્લાદેશમાં ટોળાએ એરબેઝ પર કર્યો હુમલો, સૈનિકોએ અનેક રાઉન્ડ ગોળીબાર કરતા એકનું મોત, અનેક ઘાયલ
February 24, 2025 03:55 PMડેંગ્યુ, ટાઇફોઇડ, કમળો સહિતના ૧૯૪૬ કેસ; તાવથી બાળકનું મૃત્યુ
February 24, 2025 03:48 PMજેતપુર–રાજકોટ સિકસલેન રોડના કામમાં યોગ્ય ડાયવર્ઝનના અભાવે દિવસભર ટ્રાફિકજામ
February 24, 2025 03:46 PMખોદકામ કરી છ માસથી રસ્તા કામ રઝળાવ્યું લતાવાસીનું ટોળું મહાપાલિકામાં ધસી આવ્યું
February 24, 2025 03:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech