Chandrayaan-3: વિક્રમ અને પ્રજ્ઞાનને જગાડવાના પ્રયાસો તેજ થયા, નથી મળી રહ્યા કોઈ સંકેત

  • September 22, 2023 09:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO)નો ના કારણે ચંદ્ર પર 'હિન્દુસ્તાન'નો ધ્વજ લહેરાઈ રહ્યો છે. અને હવે ISRO વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરને જગાડવાના પ્રયાસો કરી રહ્યા છે. જેને લઈને એક નવું અપડેટ સામે આવ્યું છે.


ભારતીય અવકાશ સંશોધન સંસ્થાના કારણે ભારતીય ધ્વજ ચંદ્ર પર લહેરાયો છે અને હવે ISRO વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરને જાગૃત કરવાના પ્રયાસો કરી રહ્યું છે. ISROએ જણાવ્યું હતું કે વિક્રમ અને પ્રજ્ઞાન સાથે તેમની સ્થિતિ જાણવા માટે સંચાર સ્થાપિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે ISRO 23 સપ્ટેમ્બરે બંનેને સ્લીપ મોડમાંથી બહાર લાવવાનો પ્રયાસ કરશે.



ઈસરોએ શું કહ્યું?

તમને જણાવી દઈએ કે ઈસરો વિક્રમ અને પ્રજ્ઞાન સાથે સંવાદ સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે અને હજુ સુધી બંને તરફથી કોઈ સંકેત મળ્યા નથી. ISROએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' (અગાઉ ટ્વિટર) પર એક પોસ્ટ શેર કરી છે. અને કહ્યુ હતુ કે, વિક્રમ અને પ્રજ્ઞાન તેમની જાગવાની સ્થિતિ જાણવા માટે તેમની સાથે વાતચીત સ્થાપિત કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. જો કે, તેમના તરફથી હજુ સુધી કોઈ સંકેત મળ્યા નથી. હાલ તો સંપર્ક સ્થાપિત કરવાના પ્રયાસો ચાલુ રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application