તહેવારોની ઉજવણી દરેક વિસ્તારની અલગ અલગ પરંપરાગત થતી હોય છે તેમા ફાગણસુદ પુનમનાં હોળી (હુતાસણી) નો તહેવાર ચોટીલા પંથકમાં વર્ષોની પ્રણાલીકા મુજબ ચામુંડા માતાજીના ડુંગર ઉપર સાંજની આરતી બાદ ડુંગર ટ્રસ્ટનાં મહંત પરિવાર દ્વારા પ્રગટાવવામાં આવે પછીજ તેની જવાળાઓ જોઇને ચોટીલા શહેરમાં અને તાલુકાનાં આસપાસનાં ગામડાઓમાં આજે પણ હોળી પ્રજ્વલિત કરવામાં આવે છે.
આ પરંપરા વર્ષોથી ચાલી આવતી રહી છે. તેમજ અનેક સમાજોમાં નાના છોકરાવને હુતાસણીના વર કરવાની રસમ કરવામાં આવે છે તેમા છોકરાઓને વરરાજા જેવો પહેરવેશ પહેરાવી હોળીની ચાર પ્રદક્ષિણા ફેરવવામાં આવે છે અને આવા પરીવારોમાં લગ્ન જેવો માહોલ અને ઉત્સાહ હોય છે.
ચોટીલા ડુંગર ઉપર હોલીકા દહનમાં છાણા, કપુર, શ્રીફળ, ચુંદડી અને માટલીમાં ધાન મુકી આરતી પછી પ્રાગટય કરવામાં આવેલ જેના દર્શનનો લાભ લેવા યાત્રિકોની ભીડ ઉમટેલ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઇમ્પેકટ હેઠળની ફાઇલોની હવે ટીપી–ફાયર બ્રિગેડ વચ્ચે ફેંકાફેંકી નહીં થઇ શકે: કમિશનરનો પરિપત્ર
March 10, 2025 03:43 PMસોની બજાર, પેલેસ રોડ, ટાગોર રોડ સહિતની બજારમાં ૨૩ પ્રોપર્ટી સીલ
March 10, 2025 03:42 PMનાણાવટી ચોક પાસે આવાસન ધાબા પરથી 72 બોટલ દારૂ સાથે 1 ઝડપાયો
March 10, 2025 03:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech