ગાંધીનગર ખાતે આવેલી ગિફ્ટ સિટીમાં દારૂબંધી હટાવવાના રાજ્ય સરકારના અતિ ચર્ચાસ્પદ નિર્ણયને પડકારતી રિટ પિટિશન હાઇકોર્ટ સમક્ષ દાખલ કરી દેવામાં આવી છે. આવો નિર્ણય કરવા પાછળનું મુખ્ય કારણ ગિફ્ટ સિટી ગાંધીનગરમાં રીયલ એસ્ટેટના ભાવ ઉંચા લઈ જવા માટે ઈને આવી છૂટછાટ આપવામાં આવી છે ઉપરાંત ગિફ્ટ સિટી ખાતે ચાલતા ક્લબ હાઉસમાં મેમ્બરશીપને લઈને લોકો દ્વારા ઘસારો ઈ રહ્યો છે તેનું મુખ્ય કારણ રાજકારણીઓ આ ક્લબ હાઉસના માલિક અને સંચાલક હોવાનું પિટિશનમાં જણાવ્યું છે. તો ગાંધીના ગુજરાતમાં ડ્રીંક અને ડ્રાઇવ ના ગુનાઓનું પ્રમાણ વધશે તેવી ચિંતા પણ કરવામાં આવી છે.
આગામી દિવસોમાં આ રિટની સુનાવણી ઇ શકે છે. આ રિટમાં અરજદાર દ્વારા એવી રજૂઆત કરવામાં આવી છે કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હટાવી દેવાનો નિર્ણય કરી શકાય નહીં. સરકારનો નિર્ણય અયોગ્ય છે અને ગિફ્ટ સિટી અને ગાંધીનગરમાં જમીનના ભાવો ઊંચા લાવવા માટે આવો નિર્ણય કરવામાં આવ્યો છે. રિટમાં એવી દાદ માંગવામાં આવી છે કે દારૂબંધી દૂર કરવાનો સરકારનો નિર્ણય પરત લેવાનો આદેશ કરવામાં આવે. જો દારૂબંધી દૂર કરી દેવામાં આવશે તો ગુજરાતમાં મહિલાઓ સામેના ગુના ઉપરાંત ડ્રીંક એન્ડ ડ્રાઇવ સંબંધિત ગુનામાં વધારો ઇ શકે છે.
ગીર સોમના જિલ્લ ાના સામાજિક કાર્યકર ઈરફાન જુસબભાઈ ભગાણીએ એડવોકેટ પ્રશાંત ચાવડા મારફતે આ રિટ દાખલ કરી છે. જેમાં એવી રજૂઆત કરવામાં આવી છે કે રાજ્યના ગવર્નર દ્વારા ૨૩મી ડિસેમ્બરે ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારીઓ, અધિકારીઓ અને સત્તાવાર મુલાકાતીઓ માટે દારૂબંધી હટાવવાની જાહેરાત કરવામાં આવી હતી. તેના નિયમો ૩૧મી ડિસેમ્બરના રોજ બહાર પાડવામાં આવ્યા હતા. તેના કારણે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં કામ કરતા લોકોને કોઈપણ પ્રકારના નિયંત્રણ વિના દારૂ પીવાની છૂટ મળી છે.
આ અહેવાલો પણ અખબારોમાં આવી રહ્યા છે. તેી ગાંધીજીના ગુજરાતમાં આવી મંજૂરી આપી શકાય નહીં. અન્ય રાજ્યોમાં જ્યાં દારૂબંધી ની ત્યાં ગુનાખોરી પ્રમાણમાં વધુ છે. મહિલાઓ પર બળાત્કાર, ડ્રીંક એન્ડ ડ્રાઇવના કારણે અકસ્માતો અને ગરીબ લોકો તેના કારણે જીવ ગુમાવે છે.અરજીમાં વધુમાં એવી રજૂઆત કરવામાં આવી છે કે સમગ્ર રાજ્યમાં દારૂનું સેવન, વેચાણ અને પરિવહન પ્રતિબંધિત છે. ગિફ્ટ સિટીમાં દારૂના પ્રતિબંધમાં છૂટછાટ શ્રીમંતોને લાભ પહોંચાડવા અને રિઅલ એસ્ટેટના ભાવમાં વધારો કરવા માટે આપવામાં આવી છે.
પરિણામે ગિફ્ટ સિટી ક્લબના સભ્યો બનવાની માગ વધી રહી હોવાના ગિફ્ટ સિટીમાં હોટલો અને અન્ય સ્ળોનું સંચાલન રાજકીય વગદારો દ્વારા કરવામાં આવતું હોવાી તેમને લાભ ાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તે ઉપરાંત ચૂંટણી દરમિયાન પણ મોટા પ્રમાણમાં દારૂની હેરાફેરી ાય છે. જો દારૂબંધીમાંી મુક્તિ આપવામાં આવે તો આગામી ચૂંટણીઓ પણ પ્રભાવિત ઇ શકે છે. તેી દારૂબંધીની છૂટછાટ આપતો પરિપત્ર રદ વો જોઈએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationફરી જય શાહની ભવિષ્યવાણી, રોહિત શર્માની કેપટન્સીમાં ભારત આ બંને ટ્રોફી પણ કરશે પોતાના નામે
July 07, 2024 06:22 PMઆસામમાં પૂરને કારણે હાહાકાર, 58 લોકોએ ગુમાવ્યા જીવ, હજારો લોકોના ઘર પાણીમાં ડૂબ્યા
July 07, 2024 04:39 PMKulgam Encounter: સુરક્ષા દળોનું મોટું ઓપરેશન, અત્યાર સુધીમાં છ આતંકીઓનો ખાત્મો
July 07, 2024 04:37 PMરાજકોટ : ભીલવાસ નજીક ઇગલ પેટ્રોલ પંપે રાત્રીના માથાભારે શખ્સે ફિલરમેનને છરીના ઘા ઝીંક્યા
July 07, 2024 03:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech