યાજ્ઞિક રોડ પર કલ્યાણ જવેલર્સમાંથી પિયા 2.17 લાખના ચેઇનની ચોરી

  • February 13, 2024 02:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના યાજ્ઞિક રોડ પર આવેલા કલ્યાણ જવેલર્સમાંથી રૂા.2.17 લાખની કિંમતનો સોનાનો ચેઈન ચોરી થઈ ગયાની એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.આ ચોરીમાં શોરૂમમાં સ્ટાફની સંડોવણી હોવાની શંકાએ પોલીસે તપાસ હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ,આ ઘટના અંગે કલ્યાણ શો રૂમના મેનેજર રાજેશ વિનોદભાઈ ધીનોજા (ઉ.વ. 36, રહે. રેલનગર મેઈન રોડ, રામેશ્વર-4, જશરાજ કોમ્પ્લેક્ષ) દ્વારા એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, તે છેલ્લા પાંચ વર્ષથી શો રૂમમાં મેનેજર તરીકે નોકરી કરે છે. ગઈ તા.5ના રોજ રાત્રે નિત્યક્રમ મુજબ શો રૂમની તમામ જ્વેલરીનું કાઉન્ટીંગ કરી તેને લોકરમાં મુકી તે અંગેની જાણ હેડ ઓફિસને કરી હતી. બીજા દિવસે સવારે દસેક વાગ્યે શો રૂમ ખોલ્યો હતો.
ત્યારબાદ તમામ સ્ટાફે લોકર ખોલી જવેલરીને અલગ-અલગ સેક્શનમાં ડિસ્પ્લેમાં રાખી હતી. રાત્રે નવેક વાગ્યે નિત્યક્રમ મુજબ જવેલરીના વેચાણ અને સ્ટોકનું કાઉન્ટીંગ થતું હતું ત્યારે કરીમ મુલ્લા શેખ નામના કર્મચારીએ આવીને જાણ કરી હતી કે સોનાનો 32 ગ્રામ 100 મીલી ગ્રામનો ચેઈન મળતો નથી.જેથી તેણે આ અંગે હેડ ઓફિસને જાણ કરી હતી. જ્યાંથી સીસી ટીવી કેમેરા જોવાની સુચના મળતા બે દિવસ સુધી ફુટેજ જોયા હતા.પરંતુ કોઈ ચેઇન લઈ જતું હોવાનું દેખાયું ન હતું.આ અંગે હેડ ઓફિસને જાણ કરતાં ત્યાંથી ફરિયાદ નોંધાવવાની સુચના મળતા એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.શો રૂમના સ્ટાફની સંડોવણીની શંકાએ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application