રાજયમાં એક બાજુ બિલ્ડરો દ્રારા નવી જંત્રીનો વિરોધ કરી સરકાર સામે બાયો ચડાવી છે ત્યારે રાજકોટમાં આજે પાંચથી વધુ બિલ્ડરોને ત્યાં સેન્ટલ જીએસટી વિભાગની ટિમ ત્રાટકતા બિલ્ડર લોબીમાં દોડધામ મચી જવા પામી છે. બિલ્ડરોના પ્રોજેકટ, ઓફિસ સહિતના સ્થળે સર્ચ કરવામાં આવતા મોટી જીએસટી ચોરી બહાર આવે તેવી શકયતા સેવાઈ રહી છે. મહત્વની બાબત એ પણ છે કે, આ દરોડામાં સેન્ટ્રલ જીએસટી એન્ડ કસ્ટમ્સના એડિશનલ જોઇન્ટ કમિશનર પણ તપાસમાં જોડાયા છે.
મળતી માહિતી મુજબ સેન્ટ્રલ જીએસટીની ટિમ દ્રારા શહેરના કેટલાક જાણીતા બિલ્ડરો ઉપર તવાઈ હાથ ધરી છે, પ્રાઈડ ગૃપના મોટામવા અને પ્રેમ મંદિર પાસેના કોમર્શિયલ પ્રોજેકટ, ધ વન વલ્ર્ડ ગૃપના બાલાજી હોલ પાસેના મંગલમ, વાઈટાલીટી તેમજ નાનામવા પાસેના સર્કલ કોર્પેારેટ વલ્ર્ડ , અંબિકા ટાઉનશીપ, પીપળીયા એમ્પાયર, પીપળીયા હોલ કોઠારીયા, આઈકોનીક વલ્ર્ડના કાંગશીયાળી પ્રોજેકટ પર સર્ચ હાથ ધરવામાં આવ્યું છે. સૂત્રોની માહિતી મુજબ તપાસ દરમિયાન જીએસટીની ટીમને ડિજિટલ ડેટા મળી આવતા હસ્તગત કરવામાં આવ્યો છે. જેમાં આઇટી વિભાગ પણ જોડાશે અને સાંજ સુધીમાં મોટી કરચોરી બહાર આવે તેવી શકયતા સેવાઈ રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, બે દિવસ પૂર્વે અમદાવાદની આંગડિયા પેઢીમાં દરોડા પાડવામાં આવ્યા હતા. યારે ગઈકાલે વડોદરામાં જીએસટીની ટીમ ત્રાટકી હતી. મળતી માહિતી મુજબ વડોદરામાં ત્રણ શો–મમાં જીએસટીએ દરોડા પાડા છે.
સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ મેવાડા કલેકશન, મેવાડા ડ્રેસવાલા, સુલતાનપુરા ઘડીયારી પોરના શોમમાં હાલ દરોડા ચાલી રહ્યા છે. એટલું જ નહીં રાવપુરા સહિત ત્રણ શોમ પર જીએસટી વિભાગની ટીમ ત્રાટકી છે અને હિસાબોની ચકાસણી કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર અને રાય સરકાર પાસેથી મળેલી સૂચનાઓને ધ્યાને લઈ હાલ આવકવેરા વિભાગ અને જીએસટી વિભાગ ઠેર ઠેર જગ્યા પર સર્ચ ઓપરેશન કરી કરોડો પિયાની કરચોરી પકડી પાડે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application'અમે ત્રણ દાયકા સુધી યુએસ અને પશ્ચિમી દેશોમાટે આતંકી સંગઠનોને ટેકો આપ્યો: પાકિસ્તાન
April 25, 2025 02:47 PMનર્સિંગ પરિક્ષાના મુદ્દે હાઇકોર્ટેની સરકારને રાહત, ભરતી પ્રક્રિયા રોકવાની માંગ ફગાવી
April 25, 2025 02:42 PMન્યૂયોર્ક ટાઈમ્સે હુમલાને આતંકવાદીના બદલે ઉગ્રવાદ ગણાવતા યુએસ સરકારે ઠપકો આપ્યો
April 25, 2025 02:34 PMબાંદીપોરામાં એન્કાઉન્ટરમાં એક આતંકી ઠાર, બે થયા સૈનિકો ઘાયલ
April 25, 2025 02:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech