સમર્પણ સર્કલ નજીક સેન્ટીંગ કામ કરતા યુવાનને વિજ આંચકો ભરખી ગયો

  • September 06, 2023 10:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં સમર્પણ સર્કલ નજીક એક નવા બાંધકામના સ્થળે સેન્ટીંગ કામ કરી રહેલા શ્રમિક યુવાનને લોખંડનો સળીયો ઉપર કરવા જતાં વીજ લાઈનમાંથી એકાએક વીજ આંચકો લાગવાથી મૃત્યુ થયું છે.
જામનગરમાં બેડી થરી વિસ્તારમાં રહેતો અને સેન્ટીંગ કામની મજૂરી કરતો ગફાર સિદીકભાઇ મકવાણા નામનો ૩૪ વર્ષનો શ્રમિક યુવાન સમર્પણ સર્કલ નજીક નવા બાંધકામના સ્થળે સેન્ટીંગનું કામ કરી રહ્યો હતો. જે દરમિયાન સેન્ટીંગ નો લોખંડનો સળીયો પોતાના હાથમાં રાખીને ઉપર કરવા જતી વેળાએ ઉપરથી પસાર થઈ રહેલા વિજતારને અડી જતાં તેને એકાએક વિજ આંચકો લાગ્યો હતો, અને બેશુદ્ધ બન્યો હતો.
જેને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં લઈ જવાયા પછી ફરજ પરના તબીબે મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. આ બનાવ અંગે સેન્ટિંગ કામના સાથી કર્મચારી કરીમભાઇ મિયાણાએ પોલીસને જાણ કરતાં સિટી સી. ડિવિઝન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application