પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશના વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર 30 હસ્તીઓને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કરવાની જાહેરાત કરી છે. આ વર્ષે ગુજરાતના સાબરકાંઠાના સામાજિક કાર્યકર સુરેશ સોનીને પદ્મ શ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે.
ગુજરાતનું ગૌરવ:
સાબરકાંઠાના સુરેશ સોનીને પદ્મ શ્રી પુરસ્કાર મળવો ગુજરાત માટે ગૌરવની વાત છે. તેઓ સામાજિક કાર્યોમાં તેમના યોગદાન બદલ દેશભરમાં જાણીતા છે. તેમના કાર્યોથી લાખો લોકોને લાભ મળ્યો છે.
સુરેશ સોની ઉપરાંત, ગોવાના સ્વાતંત્ર્ય સેનાની લિબિયા લોબો સરદેસાઈ, મધ્યપ્રદેશના ઉદ્યોગસાહસિક શૈલી હોલકર, મરાઠી લેખક મારુતિ ભુજંગરાવ, દિલ્હી સ્થિત ગાયનેકોલોજિસ્ટ ડૉ. નીરજા ભાટલા, સામાજિક કાર્યકર ભીમ સિંહ ભાવેશ, દક્ષિણ ભારતીય સંગીતકાર પી. દત્ચનમૂર્તિ, નાગાલેન્ડના ફળ ખેડૂત એલ. હેંગથિંગ, પશ્ચિમ બંગાળના ઢાક વાદક ગોકુલ ચંદ્ર દાસ, કુવૈતના યોગ શિક્ષક શેખા એજે અલ સબાહ, ઉત્તરાખંડના ટ્રાવેલ બ્લોગર દંપતી હ્યુ અને કોલીન ગેન્ટઝર, પુડુચેરીના વાદ્યવાદક પી દત્તાચનમૂર્તિ, ભજન ભેરુ સિંહ ચૌહાણ અને નવલકથાકાર જગદીશ જોશીલા સહિતના વિવિધ ક્ષેત્રોની હસ્તીઓને પદ્મ શ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationAMCનો સુરક્ષા ખર્ચ: 10 વર્ષમાં 245 કરોડનો ધુમાડો, વિપક્ષે ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા
March 03, 2025 11:53 PMટ્રમ્પની પોસ્ટથી ખળભળાટ: "આવતીકાલની રાત મોટી હશે", દુનિયાભરમાં અટકળો
March 03, 2025 09:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech