ભાવનગરમાં માળનાથ મહાદેવના સાનિધ્યમાં ૭૮માં સ્વાતંત્રય પર્વની ઉત્સાહભેર ઉજવણી

  • August 22, 2024 04:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૧૫મી ઓગષ્ટના રોજ જિલ્લાના પ્રસિદ્ધ માળનાથ મહાદેવના પટાગણમાં તિરંગો લહેરાવવામાં આવ્યો અને શિવલીંગનો શણગાર પણ તિરંગાથી કરવામાં આવેલ હતો. હજારો શિવ ભક્તોએ આ પ્રસંગ ઉજવ્યો હતો જેમાં ધાર્મિક અને રાષ્ટ્રભાવનાની ઝાંખી જોવા મળી હતી. જેમાં ભારત માતા કી જય, જય જવાન જય કિસાન, વંદે માતરમ જેવા નારાઓનો વરસાદ કરવામાં આવેલ અને સમગ્ર વાતાવરણ રાષ્ટ્ર અને ભક્તિભાવભર્યુ જોવા મળ્યું. આ પ્રસંગે માળનાથ મંદિરના મહંત, હર્ષદગીરી ગૌસ્વામી બાપુએ માળનાથ ગ્રુપના પક્ષી પ્રેમી હરીભાઈ શાહ, કેમેરામેન દર્શન ચૌહાણ અને માધવ પરમાર (ગાયક) અન્ય હજારોની સંખ્યામાં હાજર રહ્યા હતા, અને આનંદ અને ઉલ્લાસ સાથે આરતી ઉતારી પ્રસાદ લઈને સર્વે લોકોએ આનંદભેર આ પ્રસંગને માણ્યો હતો. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application