કાલે નડિયાદમાં રાજયકક્ષાના સ્વાતત્રં પર્વની ઉજવણી: મુખ્યમંત્રીના હસ્તે ધ્વજ વંદન થશે

  • August 14, 2024 12:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આવતીકાલે સ્વાતત્રં પર્વની ઉજવણીનો રાય કક્ષાનો કાર્યક્રમ ખેડા જિલ્લાના નડિયાદ ખાતે યોજવામાં આવશે અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સવારે ૯:૦૦ વાગ્યે ધ્વજ વંદન કરાવશે. બનાસકાંઠામાં વિધાનસભાના સ્પીકર શંકરભાઈ ચૌધરીના હસ્તે ધ્વજ વંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
જૂનાગઢમાં કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ કચ્છમાં બળવંતસિંહ રાજપુત અમરેલીમાં કુવરજીભાઈ બાવળીયા બોટાદમાં મુળુભાઈ બેરા અને ગીર સોમનાથ જિલ્લામાં ભાનુબેન બાબરીયાના હસ્તે ધ્વજ વંદન રાખવામાં આવ્યું છે. ભાવનગરમાં રાય કક્ષાના મંત્રી પરસોત્તમભાઈ સોલંકી અને દેવભૂમિ દ્રારકામાં ભીખુસિંહ પરમારના હસ્તે ધ્વજ વંદન કરાવવામાં આવશે.

આ ઉપરાંત સુરતમાં કનુભાઈ દેસાઈ મહેસાણામાં ઋષિકેશ પટેલ સાબરકાંઠામાં કુબેરભાઈ ડીંડોર પંચમહાલમાં ડેપ્યુટી સ્પીકર જેઠાભાઇ ભરવાડ ધ્વજ વંદન કરાવશે. વડોદરામાં રાયકક્ષાના મંત્રી હર્ષ સંઘવી વલસાડમાં જગદીશભાઈ વિશ્વકર્મા દાહોદમાં બચુભાઈ ખાબડ ડાંગમાં પ્રફુલભાઈ પાનસેરીયા અને નવસારીમાં કુવરજીભાઈ હળપતિના હસ્તે ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

સૌરાષ્ટ્ર્રમાં પોરબંદર રાજકોટ જામનગર સુરેન્દ્રનગર અને મોરબી ઉપરાંત રાયમાં આણદં છોટા ઉદેપુર અરવલ્લી પાટણ અમદાવાદ મહીસાગર ગાંધીનગર નર્મદા અને ભચ જિલ્લામાં પણ જે તે જિલ્લા કલેકટરના હસ્તે ધ્વજ વંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.રાજકોટ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ લોધિકા ખાતે અને શહેરનો કાર્યક્રમ ચૌધરી હાઇસ્કુલના મેદાનમાં યોજવામાં આવનારો છે. ધ્વજવંદનના કાર્યક્રમના અનુસંધાને છેલ્લા કેટલાક દિવસથી તૈયારીઓ ચાલતી હતી તે પૂરી થઈ ગઈ છે અને આવતીકાલે સમગ્ર રાયમાં તમામ સ્થળોએ એક સાથે સવારે ૯:૦૦ વાગે ધ્વજવંદનના કાર્યક્રમો રાખવામાં આવ્યા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application