સાવધાની કે દબાણકર્તા માથાભારે હોવાની સાબિતી

  • July 29, 2023 10:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકામાં જગત મંદિર પાસેનાં દબાણો હટાવા પોલીસ બંદોબસ્ત માંગતું તંત્ર

યાત્રાધામ દ્વારકામાં મંદિર પાસેનાં દબાણો દૂર કરવા તંત્ર હવે સજ્જ થયું છે અથવા  દબાણો મિડીયામાં ચમક્યા પછી તંત્ર કાર્યવાહી માટે મજબૂર થયું છે એમ કહી શકાય. જગત મંદિર તરફ જતા  દર્શન પથ ઉપરનાં દબાણ સહિતનાં દબાણો  દૂર કરવા નગરપાલિકા તંત્ર દ્વારા કાર્યવાહી દરમ્યાન પોલીસ બંદોબસ્તની માંગ કરવામાં આવી છે.
દબાણો દૂર કરવાની કાર્યવાહી વખતે કોઇ આક્રમક વિરોધ પ્રદર્શન કે અનિચ્છનીય ઘટના ન બને એ માટે પોલીસ બંદોબસ્ત માંગવામાં આવ્યો છે.પરંતુ ગહનતાથી વિચારતા એનો અર્થ એ પણ થાય કે દબાણકર્તાઓ એટલા માથાભારે છે કે તંત્ર અંદરખાને ફફડે છે. મિડીયામાં પણ દબાણકર્તાઓની પહોંચ વિરાટ હોવાનાં અહેવાલો આવતા રહે છે ત્યારે હવે આ મુદ્દે તંત્ર સુરક્ષા બંદોબસ્ત સાથે ક્ઇ રીતે આગળ વધે છે એ જોવાનું રહ્યું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application