કેરળના વાયનાડમાં વરસાદ અને ભૂસ્ખલનને કારણે તબાહી મચી ગઈ છે. જેમાં 4 ગામો નાશ પામ્યા છે અને 60 લોકોના મોતના અહેવાલ છે. સેંકડો લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે. આર્મીના જવાનો લોકોને એરલિફ્ટ કરી રહ્યા છે. વાયનાડમાં ભારે વરસાદને કારણે મંગળવારે સવારે 4 કલાકમાં 3 થી 4 ભૂસ્ખલન થયા, જેના કારણે મુંડક્કાઈ, ચુરલમાલા, અટ્ટમાલા અને નૂલપુઝા કાટમાળ નીચે આવી ગયા. હાલમાં કેરળમાં સ્થિતિ ખૂબ જ ખરાબ હોવાનું કહેવાય છે. પીએમઓએ ભારતીય વાયુસેના, નેવી અને આર્મી સ્ટેશનોને વાયનાડમાં બચાવ કામગીરી હાથ ધરવાનો આદેશ આપ્યો છે.
ભૂસ્ખલનને કારણે પરિસ્થિતિ આટલી ગંભીર બની જશે તેનો ભાગ્યે જ કોઈને અંદાજ હશે. આવી સ્થિતિમાં, પ્રશ્ન એ થાય છે કે શું પહેલાથી ભૂસ્ખલન થાય એ પહેલા કોઈ સંકેતો નથી મળતા? તો જાણો ભૂસ્ખલન પહેલાના આ પાંચ મોટા સંકેતો, જે સમજીને મોટી જાનહાની ટાળી શકાય છે અને જીવ બચાવી શકાય છે.
ભૂસ્ખલન પહેલા જોવા મળે છે આ પાંચ મોટા ચિહ્નો
પરિવારને કેવી રીતે બચાવવો
જ્યારે પણ આવા સંકેતો મળે, તો તરત જ પરિવાર સાથે તે સ્થાન છોડી દેવું જોઈએ. પરંતુ આ ત્યારે જ કરો જ્યારે આવું કરવું સલામત હોય. જો ભૂસ્ખલનથી પ્રભાવિત બિલ્ડીંગમાં હોય તો તે ઈમારતના સૌથી ઉંચા માળે જાવ અથવા ભૂસ્ખલન પૂરું ન થાય ત્યાં સુધી કાઉન્ટરટોપ પર ચઢી જાઓ. અથવા જ્યારે પણ ભૂસ્ખલનના કોઈ ચિહ્નો દેખાય તો તરત જ સ્થાનિક અધિકારીઓને જાણ કરો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં ગુજરાતે દિલ્હીને 7 વિકેટે હરાવ્યું, સિઝનમાં પાંચમી જીત
April 19, 2025 11:07 PMઈસ્ટરના કારણે પુતિને યુક્રેન યુદ્ધમાં યુદ્ધવિરામની જાહેરાત કરી, ધાર્મિક મહત્વ જાળવ્યું
April 19, 2025 11:03 PMકેનેડામાં બે જૂથો વચ્ચે ફાયરિંગમાં પંજાબની 21 વર્ષીય યુવતીનું મોત, બસ સ્ટોપ પર હતી ઉભી
April 19, 2025 11:00 PMરાજકોટ-સરધાર રોડ પર ગમખ્વાર અકસ્માત: માતા-પુત્રી સહિત 4નાં મોત, 3 ગંભીર રીતે ઘાયલ
April 19, 2025 10:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech