2000ની નોટો બંધ થવાને કારણે નકલી નોટો બજારમાં ધૂમ મચાવી રહી છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર 500 રૂપિયાની નોટને લઈને અનેક પ્રકારના નકલી મેસેજ પણ વાયરલ થઈ રહ્યા છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર RBI ગવર્નરના હસ્તાક્ષર સંબંધિત એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેનું સત્ય PIB ફેક્ટ ચેકરે જણાવ્યું છે.
જો તમે પણ 500 રૂપિયાની નોટ ન લેવા વિશે સાંભળ્યું છે અથવા વાંચ્યું છે, તો સાવચેત રહો. કારણ કે PIB ફેક્ટ ચેકમાં આ વાત સંપૂર્ણપણે નકલી હોવાનું જણાવવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં તમારે આ મેસેજ પર ધ્યાન આપવાનું ટાળવું જોઈએ.
दावा: ₹500 का वह नोट नहीं लेना चाहिए जिसमें हरी पट्टी आरबीआई गवर्नर के सिग्नेचर के पास न होकर गांधीजी की तस्वीर के पास होती है।#PIBFactCheck:
— PIB Fact Check (@PIBFactCheck) June 24, 2023
✔️यह दावा #फ़र्ज़ी है।
✔️@RBI के अनुसार दोनों ही तरह के नोट मान्य होते हैं।
अधिक जानकारी के लिए यहाँ जाएं: https://t.co/DuRgmRJxiN pic.twitter.com/T8q3m2fv8w
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક મેસેજમાં કહેવામાં આવ્યું છે કે 500 રૂપિયાની નોટ ન લેવી જોઈએ જેમાં લીલી પટ્ટી RBI ગવર્નરના હસ્તાક્ષરની નજીક નથી પરંતુ ગાંધીજીની તસવીરની નજીક છે. આ મેસેજ વાયરલ થતાં જ લોકોમાં અસમંજસની સ્થિતિ સર્જાઈ છે. PIB ફેક્ટ ચેકે આ મેસેજની હકીકત તપાસી.
જ્યારે PIB ફેક્ટ ચેકને આ મેસેજની સત્યતા જાણવા મળી ત્યારે ખુલાસો ખૂબ જ ચોંકાવનારો હતો. પીઆઈબી ફેક્ટ ચેકે આ મેસેજને સંપૂર્ણપણે નકલી ગણાવ્યો છે. આરબીઆઈ અને પીઆઈબીએ સ્પષ્ટ કહ્યું છે કે આવું બિલકુલ નથી. બંને પ્રકારની નોટો માન્ય છે. પીઆઈબીએ લોકોને અપીલ કરી છે કે આવી બાબતો પર બિલકુલ ધ્યાન ન આપો અને મૂંઝવણમાં ન પડો.
નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationફરી જય શાહની ભવિષ્યવાણી, રોહિત શર્માની કેપટન્સીમાં ભારત આ બંને ટ્રોફી પણ કરશે પોતાના નામે
July 07, 2024 06:22 PMઆસામમાં પૂરને કારણે હાહાકાર, 58 લોકોએ ગુમાવ્યા જીવ, હજારો લોકોના ઘર પાણીમાં ડૂબ્યા
July 07, 2024 04:39 PMKulgam Encounter: સુરક્ષા દળોનું મોટું ઓપરેશન, અત્યાર સુધીમાં છ આતંકીઓનો ખાત્મો
July 07, 2024 04:37 PMરાજકોટ : ભીલવાસ નજીક ઇગલ પેટ્રોલ પંપે રાત્રીના માથાભારે શખ્સે ફિલરમેનને છરીના ઘા ઝીંક્યા
July 07, 2024 03:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech