વર્ષ ૨૦૨૩, કાર્ડિયાક અરેસ્ટને કારણે અચાનક મૃત્યુ દર વધી જતા લોકો ભયમાં છે. ઇએમઆરઆઈ ૧૦૮ ડેટા દર્શાવે છે કે ગુજરાતે રાયમાં ૧૬–વર્ષના ઓપરેશન રેકોર્ડમાં આ વર્ષે હાઇ કાર્ડિયાક ક્રાઈસીસ જોવા મળ્યા છે. ૧૦૮ ડેટાના ડેટા મુજબ દર સાડા સાત મિનિટે એક હાર્ટ ક્રાઈસીસ કોલ આવે છે.
ઇએમઆરઆઈ ૧૦૮ એ ૨૦૨૩ માં ૭૨,૫૭૩ કાર્ડિયાક ક્રાઈસીસ નોંધ્ય હતા જે ૨૦૧૮ માં ૫૩,૭૦૦ ની સરખામણીમાં ૩૫% વધુ છે. જો વસ્તીમાં વધારો જેવા પરિબળોને ધ્યાનમાં લેવામાં આવે તો પણ, રાયમાં ૨૦૨૨ ની સરખામણીમાં વાર્ષિક ધોરણે કાર્ડિયાક કટોકટીમાં ૨૯% નો વધારો નોંધાયો હતો જેમાં ૫૬,૨૭૭ કેસ નોંધાયા હતા.
યારે કાર્ડિયાક ઈમરજન્સી કોલના વ્યાપને સમજવા માટે જિલ્લાવાર ૨૦૧૧ની વસ્તી ગણતરીના આંકડાઓ પર ડેટા એકસટ્રાપોલેટ કરવામાં આવ્યા ત્યારે અમદાવાદ ૧ લાખ વસ્તી દીઠ ૨૯૮ કોલ (૨૧,૪૯૬ કોલ્સ) સાથે ટોચ પર છે, ત્યારબાદ પોરબંદરમાં ૧૯૯ કોલ (૧,૧૬૭ કોલ), અને જામનગર અને દેવભૂમિ દ્રારકામાં ૧૮૦ કોલ્સ (૧,૯૮૧ કોલ) આવ્યા છે. ડેટા દર્શાવે છે કે ડાંગ (૧ લાખની વસ્તી દીઠ ૧૫૯ કોલ) અને તાપી (૧ લાખની વસ્તી દીઠ ૧૫૬ કોલ)ના આદિવાસી જિલ્લાઓમાં પણ પ્રમાણમાં વધુ વ્યાપ નોંધાયો છે.
કાર્ડિયોવેસ્કયુલર રોગોમાં વિશેષતા ધરાવતી મુખ્ય શહેર–આધારિત હોસ્પિટલોએ આ વલણની પુષ્ટ્રિ કરી છે અને અચાનક મૃત્યુમાં વધારો સ્વીકાર્યેા છે અને વારંવાર નાગરિકોને તેઓ જે અસ્વસ્થતા અનુભવે છે અથવા જે રીતે સ્વસ્થ થવાના પ્રયત્નો કરે છે તેના વિશે વધુ સભાન રહેવા માટે પ્રોત્સાહિત કરે છે. યુએન મહેતા ઇન્સ્િટટૂટ આફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરના ડિરેકટર ડો. ચિરાગ દોશીએ જણાવ્યું હતું કે જીવનશૈલીની પસંદગી અને અન્ય જોખમી પરિબળોને કારણે વૈશ્વિક સ્તરે કાર્ડિયોવેસ્કયુલર રોગો વધી રહ્યાં છે.ઉદાહરણ તરીકે, યારે આપણે સૌરાષ્ટ્ર્ર વિસ્તારમાં પ્રમાણમાં વધુ વ્યાપ વિશે વાત કરીએ છીએ, ત્યારે તમાકુનું સેવન એક મોટું જોખમ પરિબળ હોઈ શકે છે. ખોરાકથી લઈને બેઠાડુ જીવનશૈલી સુધી, આપણે ઘણા પરિબળો જોઈએ છીએ જે ઘણી વખત પ્રમાણમાં વહેલી તકે કાર્ડિયોવેસ્કયુલર રોગોની શઆત કરે છે.
જયારે રાયના શિક્ષણ પ્રધાન કુબેર ડીંડોરે ડિસેમ્બરમાં દાવો કર્યેા હતો કે ગુજરાતમાં છ મહિનામાં લગભગ ૧૦૦૦ લોકો કાર્ડિયાક અરેસ્ટને કારણે મૃત્યુ પામ્યા છે, ત્યારે આરોગ્ય પ્રધાન ષિકેશ પટેલે પાછળથી કહ્યું હતું કે રાય સરકાર પાસે આવો ડેટા નથી. સોશિયલ મીડિયા પર સેંકડો વિડીયો છે જે આ અચાનક મૃત્યુની પુષ્ટ્રિ કરે છે. આમાંના કેટલાકની ઉંમર ૩૦ વર્ષથી ઓછી હતી.
ઇએમઆરઆઈ ૧૦૮ સેવાઓ માટે સગર્ભાવસ્થા, અકસ્માત, પેટમાં દુખાવો, બિન–વાહન અકસ્માત અને શ્વાસ લેવામાં તકલીફ પછી કાર્ડિયાક સંબંધિત ઈમરજન્સી છઠ્ઠા નંબરે હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિની નિમણૂક માટે શોધ સમિતિની રચના
March 12, 2025 09:51 PMદક્ષિણ ગુજરાતમાં વીજ વિક્ષેપ: 90% પુરવઠો પુનઃસ્થાપિત, રાત સુધીમાં સ્થિતિ સામાન્ય થશે
March 12, 2025 08:02 PMRTE પ્રવેશમાં મોટો ફેરફાર: આવક મર્યાદા 6 લાખ કરવા સરકારની વિચારણા, વાલીઓને મળશે રાહત
March 12, 2025 07:17 PMજામનગરમાં શગુન ઈન્સ્ટીટ્યુટ ઓફ નર્સિંગના તાલીમાર્થીઓની શપથ વિધિ
March 12, 2025 07:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech