રાણાવાવમાં ૪૯ પશુપાલક લાભાર્થીઓના કાર્ડ થયા ઇસ્યુ

  • September 03, 2024 02:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરના રાણાવાવ તાલુકાના પશુપાલકોને વિનામુલ્યે ઘાસચારાનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.
પોરબંદર પંથકમાં મુશળધાર વરસાદથી પશુપાલન કરતા પરિવાર પશુઓને ઘાસચારાની સમસ્યા ના ઉકેલ માટે સરકાર સમક્ષ રજુઆત થતા પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયાએ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા સત્વરે ઘાસ વિતરણ કરવામાં આવે તેવો નિર્ણય કર્યો હતો.જે બાબતે રાણાવાવ તાલુકાના પશુપાલકોને વિનામુલ્યે ઘાસ વિતરણ કરવામાં આવ્યું હતુ.રાણાવાવ મામલતદાર જે.બી. ડાભી અને વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર મણિયારની ટીમ યુધ્ધના ધોરણે કામગીરી હાથ ધરી હતી.તાત્કાલિક પશુપાલન કરતા ૪૯ જેટલા પરિવારને કાર્ડ ઇસ્યુ કરાયા હતા અને વન વિભાગના ઘાસ ગોડાઉન ખાગેશ્રી ગામે હોય ત્યાં પશુપાલક લાભાર્થીઓ પૈકી ૨૬ જેટલા પરિવારને ઘાસ વિતરણ કરાયું હતુ.આ કામગીરીમાં મામલતદાર ડાભી,વન વિભાગના મણિયાર સાથે નાયબ મામલતદાર આર.એમ.રામ.તથા એચ.પી.દુધાત્રા અને વેનેટરી ઓફિસર કે.પી. પરમાર જહેમત ઉઠાવી હતી જયારે પશુપાલક પરિવારે રજાના દિવસે પણ કામગીરી હાથ ધરવામાં આવતાં વહીવટી તંત્રનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application