કોવિડની રસીઓથી હૃદય ન્યુરોલોજીકલ રોગ વધ્યા

  • February 20, 2024 12:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોવિડ લક્ષણો સામે રક્ષણ આપતી રસીઓને કારણે ન્યુરોલોજીકલ, રકત અને હૃદય સંબંધિત બીમારીઓ વધી હોવાનું આજ સુધીના સૌથી મોટા વૈશ્વિક રસી સલામતી અભ્યાસમાં જણાયું છે.ફાઈઝર, મોડર્ના, અને બાયોએનટેક દ્રારા બનાવાયેલી એમઆરએનએ રસીઓ ને લીધે હૃદય સંબંધિત રોગોનું ઐંચું જોખમ રહે છે અને ઓકસફર્ડ યુનિવર્સિટી દ્રારા વિકસિત અન એસ્ટ્રાઝેનેકા પીએલસી દ્રારા બનાવવામાં આવેલી વાયરલ–વેકટર રસીને લીધે અને મગજમાં લોહીના ગંઠાઈ જવાના વધતા જોખમનો સમાવેશ થાય છે તેમ અભ્યાસમાં જણાયું છે. વાઇરલ–વેકટર રસીથી ગુઇલેન–બેરે સિન્ડ્રોમનું જોખમ પણ વધે છે. આ એક એવો એક ન્યુરોલોજીકલ ડિસઓર્ડર છે જેમાં રોગપ્રતિકારક તત્રં ભૂલથી પેરિફેરલ નર્વસ સિસ્ટમ પર હુમલો કરે છે.

છેલ્લા ત્રણ વર્ષમાં કોવિડ રસીના ૧૩.૫ બિલિયનથી વધુ ડોઝ વૈશ્વિક સ્તરે આપવામાં આવ્યા છે, જેણે લાખો લોકોના જીવ બચાવ્યા છે. તેમ છતાં, રસીકરણ કરાયેલા લોકોમાંથી અમુકને હૃદય, મગજ વગેરે સાથે સંબંધિત બીમારીઓ થઇ હતી જેને લીધે રસીઓના ફાયદા અને નુકસાન વિશે ચર્ચા શરૂ  થઈ હતી.રસીની આડ અસરો અંગેનો આ અભ્યાસ ગ્લોબલ વેકસીન ડેટા નેટવર્ક દ્રારા ગયા અઠવાડિયે જર્નલ વેકસીનમાં પ્રકાશિત કરવામાં આવ્યો હતો. સંશોધનમાં ૧૩ તબીબી સ્થિતિઓ જોવામાં આવી હતી જે વેકસીનના દુષ્પ્રભાવને કારણે થવાની આશંકા હતી.

આઠ દેશોમાં ૯૯ મિલિયન રસીકરણ કરાયેલ વ્યકિતઓનો અભ્યાસ કરીને સંશોધન કરવાનો ઉદ્દેશ્ય કોવિડ શોટ પછી બીમારીઓના અપેક્ષિત કરતાં વધુ કેસોને ઓળખવાનો હતો. એકીકૃત ડેટાના ઉપયોગથી આડ અસરો ઓળખવાની શકયતા વધી છે જે કદાચ નાની વસ્તીને જોતી વખતે ચૂકી ગયા હોય.મઆરએનએ રસીના પ્રથમ, બીજા અને ત્રીજા ડોઝ પછી અને મોડર્ના રસીના બજા ડોઝ પછી મ્યોકાર્ડિટિસ, હૃદયના સ્નાયુમાં સોજો આવવાની ઘટનાઓ વધી હોવાનું અભ્યાસમાં જણાયું હતું. મોડર્ના રસીના પ્રથમ અને ચોથા ડોઝ પછી પેરીકાર્ડિટિસમાં વધારો અથવા હૃદયને આવરી લેતી પાતળી કોથળીમાં સોજો આવવાની ઘટનાઓ જોવા મળી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application