ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યાના કેસમાં કેનેડા સરકારે ચાર ભારતીય નાગરિકો વિરુદ્ધ ’સીધા સુપ્રીમ કોર્ટ’માં કેસ ચલાવવાનો નિર્ણય લીધો છે, જેને પગલે સરેની ટ્રાયલ કોર્ટમાં ચાલતી સુનાવણી અટકાવી દેવાઈ છે. બીજીબાજુ નિજ્જર હત્યામાં પીએમ મોદી, જયશંકર, અજિત ડોભાલના નામની સંડોવણીના અહેવાલો મુદ્દે વડાપ્રધાન ટ્રુડોએ પોતાના જ અધિકારીઓને ’ક્રિમિનલ’ ગણાવ્યા હતા. કેનેડાના સરેમાં ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ભારત સરકારની સંડોવણીના આરોપો મુકીને વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો ભારે ફસાયા છે. હવે પોતાની વાતને સાચી સાબિત કરવા માટે તેઓ આઘાતજનક પગલાં લઈ રહ્યા છે. ખાલિસ્તાની આતંકી નિજ્જરની હત્યાના કેસમાં કેનેડા સરકારે હવે ચાર ભારતીય નાગરિકો વિરુદ્ધ સીધા જ સુપ્રીમ કોર્ટમાં કેસ ચલાવવાનો નિર્ણય કર્યો છે. બીસી પ્રોસિક્યુશન સર્વિસના પ્રવક્તાને ટાંકીને એક મીડિયા જૂથે આ માહિતી આપી છે.સીધા સુપ્રીમ કોર્ટમાં કેસ ચલાવવાનો અર્થ છે કે હવે આ કેસમાં પ્રારંભિક સુનાવણી નહીં થાય અને કેસ ટ્રાયલ માટે સીધો જ સુપ્રીમમાં જશે. આ પ્રક્રિયામાં આરોપીઓના વકીલોને ફરિયાદી પક્ષના સાક્ષીઓની ઉલટ તપાસ કરવાની અને આ કેસ વિરુદ્ધ પુરાવા એકત્ર કરવાની તક નહીં મળે. કેનેડાએ નિજ્જરની હત્યા કેસમાં મે 2024માં ચાર ભારતીય નાગરિકો કરન બરાડ, અમનદીપ સિંહ, કમલપ્રીત સિંહ અને કરણપ્રીત સિંહની ધરપકડ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech