કેનેડાના હિન્દુ સાંસદ પર ચૂંટણી લડવા પર પ્રતિબંધ

  • March 27, 2025 11:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેનેડાની લિબરલ પાર્ટીએ ભારતીય મૂળના સાંસદ ચંદ્ર આર્ય પર પાર્ટીના બેનર હેઠળ ચૂંટણી લડવા પર પ્રતિબંધ મુક્યો છે. ભારત સરકાર સાથે ગાઢ સંબંધો હોવાના તેમના પર લાગેલા આરોપો વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગયા વર્ષે ભારતની મુલાકાત દરમિયાન તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળ્યા હતા.આ ઉપરાંત તેઓ ખાલિસ્તાની ઉગ્રવાદનો જબરો વિરોધ કરી રહ્યા હોવાથી કેનેડીય સરકારે આ નિર્ણય લીધો છે.ગ્લોબ એન્ડ મેઇલના અહેવાલમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ચંદ્ર આર્યએ કેનેડિયન સરકારને તેમની ભારત મુલાકાત વિશે જાણ કરી ન હતી. જ્યારે તે સમયે ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો ખૂબ જ તણાવપૂર્ણ તબક્કામાંથી પસાર થઈ રહ્યા હતા.


અહેવાલમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ચંદ્ર આર્યએ કેનેડિયન સરકારને તેમની ભારત મુલાકાત વિશે જાણ કરી ન હતી. જ્યારે તે સમયે ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો ખૂબ જ તણાવપૂર્ણ તબક્કામાંથી પસાર થઈ રહ્યા હતા.જો કે, કેનેડા સરકાર અને લિબરલ પાર્ટીએ ચંદ્ર આર્યને ચૂંટણી લડવાથી રોકવા માટે કોઈ કારણ આપ્યું નથી. સૂત્રો કહે છે કે કેનેડિયન સિક્યોરિટી ઇન્ટેલિજન્સ સર્વિસએ કેનેડિયન સરકારને આર્યના ભારત સરકાર સાથેના કથિત ગાઢ સંબંધો વિશે માહિતી આપી હતી. આર્યએ વિદેશી હસ્તક્ષેપના મુદ્દા પર બ્રીફિંગ પણ લીધું હતું, જેના અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.


મોદી સાથે મીટીંગ કરવા મેં ક્યારેય સરકારની મંજુરી લીધી નથી: આર્ય

બીજી તરફ ચંદ્ર આર્યએ આ આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે ગ્લોબ એન્ડ મેલે આજે લિબરલ પાર્ટી દ્વારા આગામી ચૂંટણી લડવા પર મારા પર પ્રતિબંધ મૂકવા અંગે એક લેખ પ્રકાશિત કર્યો છે. એક સાંસદ તરીકે, હું કેનેડા અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણા રાજદ્વારીઓ અને રાજ્ય અને સરકારના વડાઓ સાથે વાતચીત કરું છું. મેં ક્યારેય આવી કોઈ મીટિંગ માટે સરકાર પાસેથી પરવાનગી લીધી નથી.તેમણે કહ્યું કે લિબરલ પાર્ટીનો મુખ્ય વાંધો કેનેડિયન હિન્દુઓ સંબંધિત મુદ્દાઓ પર મારી સ્પષ્ટતા અને ખાલિસ્તાની ઉગ્રવાદ પર મારા મક્કમ વલણ સામે છે.આ પહેલા ચંદ્ર આર્યની ઉમેદવારી રદ કરવામાં આવી હતી. નેપિયન મતવિસ્તારમાંથી તેમની ઉમેદવારી રદ કરવામાં આવી હતી. ચંદ્ર આર્ય કેનેડામાં ખાલિસ્તાની તત્વો વિરુદ્ધ જોરદાર અવાજ ઉઠાવી રહ્યા છે તે જાણીતું છે. આનાથી ગુસ્સે થઈને, ખાલિસ્તાની જૂથો તેમને નિશાન બનાવી રહ્યા છે.


પન્નુએ ટ્રુડોને આર્ય સામે કાર્યવાહી કરવા વિનંતી કરી હતી

ગયા વર્ષે ઓક્ટોબરમાં, ખાલિસ્તાની ઉગ્રવાદી ગુરપતવંત સિંહ પન્નુએ તત્કાલીન વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોને આર્ય સામે કાર્યવાહી કરવા વિનંતી કરી હતી. પન્નુ સતત ચંદ્ર આર્યને ધમકી આપી રહ્યો છે. થોડા સમય પહેલા, પન્નુએ એક વીડિયો જાહેર કરીને કહ્યું હતું કે કેનેડામાં ચંદ્ર આર્ય અને તેમના સમર્થકો માટે કોઈ સ્થાન નથી. ચંદ્ર આર્ય કેનેડામાં ભારતના એજન્ડાને પ્રોત્સાહન આપી રહ્યા છે. તેમણે કેનેડિયન નાગરિકતા છોડીને ભારત પાછા ફરવું જોઈએ.


કેનેડાના હિન્દુ સાંસદ ચંદ્ર આર્ય કોણ છે

ચંદ્ર આર્ય મૂળ કર્ણાટકના છે. મે 2022 માં, કેનેડિયન સંસદમાં તેમની માતૃભાષા, કન્નડમાં ભાષણ આપતો તેમનો એક વીડિયો વાયરલ થયો હતો. કેનેડાના નીચલા ગૃહ હાઉસ ઓફ કોમન્સમાં નેપિયન, ઓન્ટારિયોના ચૂંટણી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતા ચંદ્ર આર્ય કર્ણાટકના તુમકુટ જિલ્લાના વતની છે. તેમણે ધારવાડની કૌશલી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝમાંથી બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો. તેઓ 2006 માં કેનેડા ગયા. રાજકારણમાં પ્રવેશતા પહેલા, તેઓ ઇન્ડો-કેનેડા ઓટાવા બિઝનેસ ચેમ્બરના પ્રમુખ હતા. જ્યારે તેમણે કન્નડમાં ભાષણ આપ્યું ત્યારે ભારતના ઘણા નેતાઓએ તેમનો વીડિયો પણ શેર કર્યો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application