શું સવારે ખાલી પેટે ફળ ખાવાથી નુકસાન થઇ શકે છે?

  • June 03, 2024 05:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સવારનો નાસ્તો પોષણથી ભરપૂર હોવો જોઈએ. તેથી સવારના નાસ્તામાં શું ખાઓ છો તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. મોટાભાગના લોકો સવારની શરૂઆત ફળો ખાવાથી કરે છે. પરંતુ સવાલ એ થાય છે કે શું ખાલી પેટે ફળ ખાવાથી ફાયદો થાય છે કે નહી?  કેટલાક ફળ એવા છે જે ભૂલથી પણ ખાલી પેટે ન ખાવા જોઈએ. તે સ્વાસ્થ્ય અને પેટને ભારે નુકસાન પહોંચાડે છે.


ખાલી પેટે ક્યા ફળ ન ખાવા જોઈએ?


ખાટા ફળો


ખાટા ફળો સવારે ખાલી પેટ હોય ત્યારે  બિલકુલ ન ખાવા જોઈએ. ખાસ કરીને દ્રાક્ષ ખાવાની ટાળવું જોઈએ. સાઇટ્રસ ફળોમાં પુષ્કળ પ્રમાણમાં એસિડ હોય છે. તેનું સેવન કરવાથી ગેસ, એસિડ, અલ્સર અને પેટમાં બળતરા થઈ શકે છે. નારંગી કે મોસંબી જેવા ફળ ન ખાવા જોઈએ. તેમાં સાઇટ્રિક એસિડ હોય છે જે ખાલી પેટે લેવામાં આવે તો ઘણા નુકસાન કરી શકે છે.


ખાલી પેટ કેળા ખાવાના ગેરફાયદા


કેળું ખાવું સ્વાસ્થ્ય માટે સારું છે, તે પોષણથી ભરપૂર છે પણ ખાલી પેટે કેળા ખાવાનું ટાળવું જોઈએ કારણ કે તેનાથી ઉલ્ટી થવાની સમસ્યા અને બેચેની થઈ શકે છે.


ખાલી પેટે પાઈનેપલ ન ખાઓ


ખાલી પેટે અનાનસ ન ખાવું જોઈએ કારણકે તે પેટ માટે સારું નથી. પાઈનેપલમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. તે પાચન પર અસર કરે છે. પરંતુ તેને ખાલી પેટ ખાવાથી પાચનક્રિયા ખરાબ થઈ શકે છે.


કેરી


ઉનાળો છે અને કેરીની સિઝન છે તેમ છતાં પણ ખાલી પેટ કેરી ન ખાવી જોઈએ. કારણ કે ખાલી પેટ કેરી ખાવાથી ઘણું નુકસાન થાય છે. તેનાથી પેટનું ફૂલવું અને અપચો જેવી સમસ્યા થઈ શકે છે. તે પાચન પર પણ ભારે અસર કરે છે.


ક્યા ફળ સવારે ખાલી પેટે ખાઈ શકાય છે?

પપૈયું સવારે ખાલી પેટ હોય ત્યારે ખાવું જોઈએ. આનાથી ઘણો ફાયદો થાય છે. દાડમ અને જામફળ પણ ખાલી પેટ હોય ત્યારે ખાઈ શકાય છે. જો તરબૂચ ખાવ છો તો તે પણ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application