દલિત અને આદિવાસી સંગઠનોએ આજે ભારત બંધનું એલાન આપ્યું છે. આ ભારત બંધ ક્રીમી લેયરની અંદર ક્વોટા અને અનુસૂચિત જાતિ અને જનજાતિ અનામતમાં ક્વોટા લાગુ કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણય વિરુદ્ધ કરવામાં આવ્યો છે. નેશનલ કોન્ફેડરેશન ઓફ દલિત એન્ડ ટ્રાઈબલ ઓર્ગેનાઈઝેશન નામના સંગઠને સુપ્રીમ કોર્ટના નિર્ણયને દલિતો અને આદિવાસીઓના બંધારણીય અધિકારો વિરુદ્ધ ગણાવ્યો છે અને કેન્દ્ર સરકારને તેને રદ કરવાની માંગ કરી છે.
પરંતુ સવાલ એ છે કે ભારત બંધ કરવાનો અધિકાર કોને છે, આવા કેસમાં સજા ક્યારે આપી શકાય અને આ અંગે કાયદો શું કહે છે?
શું કોઈ ભારત બંધનું એલાન કરી શકે છે?
ભારત એક લોકશાહી દેશ છે અને અહીં દરેકને પોતાના વિચારો વ્યક્ત કરવાનો અધિકાર છે. ભારતીય બંધારણના અનુચ્છેદ 19 હેઠળ નાગરિકોને ઘણા અધિકારો મળ્યા છે. કલમ 19 (A) ભારતીયોને વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર આપે છે. જ્યારે કલમ-બી હેઠળ લોકો કોઈપણ હથિયાર વિના શાંતિપૂર્ણ રીતે ગમે ત્યાં એકઠા થઈ શકે છે. આ રીતે સંગઠનો દેશમાં ભારત બંધનું એલાન આપી શકે છે.
સુપ્રીમ કોર્ટના એડવોકેટ આશિષ પાંડેનું કહેવું છે કે, જો દેશમાં શાંતિપૂર્ણ રીતે ભારત બંધ કરવામાં આવે તો કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. કારણ કે નાગરિકોને આવા અધિકારો આપવામાં આવ્યા છે. પરંતુ ભારત બંધ કે વિરોધ હિંસક બને ત્યારે પગલાં લેવામાં આવે છે. વિરોધીઓ અન્ય લોકોની સંપત્તિને બાળવા અથવા નુકસાન પહોંચાડવાનું શરૂ કરે,બળજબરીથી દુકાન બંધ કરાવે, તેઓ લોકોને ડરાવે અને ધમકી આપે છે. ત્યારે તેના પર કાર્યવાહી કરવામાં આવે છે.
પ્રદર્શન પર કાયદો શું કહે છે?
ભારતીય બંધારણમાં શાંતિપૂર્ણ પ્રદર્શનની મંજૂરી છે પરંતુ તેમાં શસ્ત્રોનો સમાવેશ કરી શકાતો નથી. જ્યારે આ પ્રદર્શનો હિંસક બનવા લાગે છે ત્યારે કાર્યવાહી શરૂ થાય છે. હિંસાના અલગ-અલગ કેસમાં અલગ-અલગ કલમો હેઠળ કેસ નોંધવામાં આવે છે. તેમની સજા પણ અલગ અલગ હોય છે. ઉદાહરણ તરીકે, જો ભારત બંધમાં ભાગ લેનારા વિરોધીઓ કોઈની સંપત્તિને નુકસાન પહોંચાડે છે. તો આવા કિસ્સામાં જાહેર સંપત્તિને નુકસાન નિવારણ અધિનિયમ 1984 હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે.
આ કાયદા અનુસાર, જો કોઈ વ્યક્તિ સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડે છે. તો તેને પાંચ વર્ષ સુધીની જેલ અને દંડની સજા થશે જ્યારે પ્રદર્શન હિંસક બને છે.
સુપ્રીમ કોર્ટે આ કાયદામાં વધુ સુધારો કરવા માટે 2007માં તેના માટે એક સમિતિની રચના કરી. પ્રથમ જસ્ટિસ થોમસ કમિટી અને બીજી નરીમન કમિટી પરંતુ આ કેસ બહુ અસરકારક ન હતો. પાછળથી તોફાનો અને દેખાવોની સંખ્યામાં ઝડપથી વધારો થતાં સર્વોચ્ચ અદાલતે એક ટ્રિબ્યુનલની રચના કરવાની પણ વાત કરી હતી જેથી કરીને જાહેર સંપત્તિને નુકસાન કરનારા બદમાશો અથવા તે પ્રદર્શનના નેતા પાસેથી વસૂલાત કરી શકાય. જો કે, આ પ્રક્રિયા તેના નિષ્કર્ષ પર પહોંચી શકી નથી.
આ રીતે લોકશાહી દેશ હોવાના કારણે શાંતિપૂર્ણ પ્રદર્શન અને ભારત બંધ કરી શકાય છે. પરંતુ જો તે હિંસક બને તો કાર્યવાહી કરવાની જોગવાઈ છે.
શું કોઈ પણ ભારત બંધનું એલાન કરી શકે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજો બાથરૂમ માટે ટાઈલ્સ સિલેક્ટ કરવામાં કરશો આ ભૂલ તો બાથરૂમ દેખાશે હંમેશા ગંદુ
May 14, 2025 03:30 PMચાર દિવસમાં કામ કરતી વખતે શ્રમિકના અકસ્માતે મૃત્યુ થવાની ત્રીજી ઘટના
May 14, 2025 03:14 PMયુવતીને ઘરની બહાર બોલાવી છેડતી, હડધુત કરવાના ગુનાના ૩ આરોપીના જામીન મંજુર
May 14, 2025 03:14 PMજસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈ બન્યા ભારતના નવા મુખ્ય ન્યાયાધીશ, જાણો તેમના વિશે બધું જ
May 14, 2025 03:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech