મંત્રી રાઘવજીભાઇ દ્વારા પોલીસ તરફથી પ્રોટોકોલનું પાલન નહીં કરાતું હોવાની કરાઇ ફરિયાદ: ધારાસભ્યની પણ નામ કમી કરાતું હોવાની રાવ: બીજા એક મંત્રી અને ધારાસભ્યોની પણ થોકબંધ ફરિયાદો
ગુજરાત વિધાનસભાના પ્રોટોકોલ વિભાગમાંથી એક પ્રશ્ર્નના જવાબમાં અપાયેલી વિગતો પરથી સામે આવ્યું છે કે, કૃષિ મંત્રી અને જામનગર જિલ્લાના સીનીયર નેતા રાઘવજીભાઇ પટેલ તથા જામજોધપુરના આપના ધારાસભ્ય હેમતભાઇ ખવા સાથે પ્રોટોકોલને લઇને ભંગ થાય છે અને તે અંગે એમના દ્વારા લગત વિભાગને ફરિયાદ પણ કરવામાં આવી છે.
કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા એક પ્રશ્ર્ન પુછાયો હતો અને તેમાં ગુજરાતમાં મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યોના પ્રોટોકોલના મુદે ભંગ અંગેની કેટલી ફરિયાદો થઇ છે તેવી વિગતો માંગવામાં આવી હતી જેના જવાબમાં ચોંકાવતી વિગતો સામે આવી છે.
કૃષિ મંત્રી અને જામનગર ભાજપના વરિષ્ઠ નેતા રાઘવજીભાઇ પટેલ સાથે પ્રોટોકોલના મુદે પોલીસ સહિતના લગત વિભાગ દ્વારા પ્રોટોકોલ ભંગ કરાતો હોવાની ફરિયાદ નોંધાઇ છે અને કહેવાય છે કે, આ મુદે એમના દ્વારા લગત વિભાગને આ જાણ કરાઇ છે, એમના ઉપરાંત પણ ગુજરાતના અન્ય એક મંત્રી દ્વારા પણ પ્રોટોકોલ ભંગની ફરિયાદ કરાઇ છે, આ ઉપરાંત ભાજપના ચાર ધારાસભ્ય અને લોકસભા તથા રાજયસભાના બે સાંસદ દ્વારા પણ ફરિયાદ કરવામાં આવી છે.
જામજોધપુરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમતભાઇ ખવા દ્વારા પણ પ્રોટોકોલ ભંગ થતો હોવાની ફરિયાદ કરવામાં આવી છે, અત્રે નોંધનીય છે કે, જામનગર જિલ્લામાં એવું થતું હતું કે, કેટલાક કાર્યક્રમોમાં પ્રોટોકોલ મુજબ નામ છાપવાનો નિયમ હોવા છતાં આમંત્રણ કાર્ડમાં આપના ધારાસભ્યનું નામ ગાયબ કરી દેવામાં આવતું હતું. જે તે સમયે પણ એમના દ્વારા સ્થાનિક લેવલે ફરિયાદ કરાઇ હતી, પરંતુ પ્રોટોકોલ ભંગનો સીલસીલો અટકયો નહીં હોવાથી વિધાનસભાના પ્રોટોકોલ વિભાગમાં ફરિયાદ કરવામાં આવી છે, જોઇએ તેના શું પડઘા પડે છે.
ખાસ કરીને કૃષિ મંત્રી જેવો પદ ધરાવતા રાઘવજીભાઇ પટેલ દ્વારા પ્રોટોકોલને લઇને જે ફરિયાદ કરાઇ છે તે ખરેખર આશ્ર્ચર્યજનક ગણવામાં આવે છે, કારણ કે ભાજપના જ કેબીનેટ કક્ષાના મંત્રીને પ્રોટોકોલમાં અન્યાય થતો હોય તો સમજી શકાય કે, વિપક્ષની શું હાલત થતી હશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationફ્લાય ઓવરબ્રિજની કામગીરીના પગલે અંબર ચોકડી પાસે વાહન વ્યવહાર આજથી બંધ કરાયો
April 18, 2025 06:21 PMજામનગર પંચકોશી એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ નીકળ્યા સાયકલ યાત્રાએ
April 18, 2025 06:16 PMજામનગરમાં આજે વિશ્વ હેરિટેજ દિવસની ઉજવણી
April 18, 2025 06:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech