સિદ્ધારમૈયા સરકાર કર્ણાટકમાં સ્થાનિક લોકો માટે ખાનગી નોકરીઓમાં 100 ટકા ક્વોટા નક્કી કરીને ફસાયા છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ ગઈ કાલે કેબિનેટના આ નિર્ણયને આવકારતી પોસ્ટ મૂકી હતી. આજે તેણે પોતાની પોસ્ટ ડિલીટ કરી દીધી છે. આ બધાની વચ્ચે શ્રમ મંત્રીએ સ્પષ્ટતા કરી છે કે ખાનગી નોકરીઓમાં સ્થાનિક લોકો માટે માત્ર 50% અને 70% ક્વોટા હશે.
કર્ણાટક સરકારે ખાનગી કંપનીઓમાં 'C અને D' ગ્રેડની પોસ્ટ્સ પર 100 ટકા કન્નડ લોકોને નિમણૂક કરવાનું ફરજિયાત બનાવવાના બિલને મંજૂરી આપ્યા પછી, કર્ણાટકના પ્રધાન એમબી પાટીલે કહ્યું, મેં જોયું છે કે ઘણા લોકો આ અંગે ચિંતિત છે. અમે આ મૂંઝવણને દૂર કરીશું અને તેનો ઉકેલ લાવીશું જેથી કોઈ વિપરીત અસર ન થાય.
દરમિયાન, બાયોકોન લિમિટેડના ચેરપર્સન કિરણ મઝુમદાર શૉએ જણાવ્યું હતું કે ખાનગી કંપનીઓમાં કન્નડીગા માટે આરક્ષણ ફરજિયાત કરવાના કર્ણાટક સરકારના નિર્ણયમાંથી ઉચ્ચ-કુશળ ભરતીને બાકાત રાખવી જોઈએ. તેમણે કહ્યું કે સ્થાનિક લોકો માટે નોકરીઓમાં અનામતથી ટેક્નોલોજી ક્ષેત્રે રાજ્યની અગ્રણી સ્થિતિને અસર થવી જોઈએ નહીં.
કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (અગાઉના ટ્વિટર) પર લખ્યું હતું કે "ગઈકાલે મળેલી કેબિનેટની બેઠકમાં રાજ્યના તમામ ખાનગી ઉદ્યોગોમાં "C અને D" ગ્રેડની પોસ્ટ પર 100 ટકા કન્નડ લોકોની નિમણૂક કરવાનું ફરજિયાત બનાવવાના બિલને મંજૂરી આપવામાં આવી છે.
સિદ્ધારમૈયાએ આગળ લખ્યું કે અમારી સરકારની ઈચ્છા છે કે કન્નડ ભૂમિમાં કન્નડ લોકોને નોકરીથી વંચિત ન રાખવામાં આવે અને તેમને માતૃભૂમિમાં આરામદાયક જીવન જીવવાની તક આપવામાં આવે. અમે કન્નડ સમર્થક સરકાર છીએ. અમારી પ્રાથમિકતા કન્નડ લોકોના કલ્યાણનું ધ્યાન રાખવાની છે. જોકે મુખ્યમંત્રીએ આ પોસ્ટ ડિલિટ કરી દીધી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech