CM પટેલ રાજકોટ એઇમ્સની મુલાકાતે

  • September 04, 2023 01:38 PM 

આજરોજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પરાપીપળીયા, રાજકોટ ખાતે આકાર લઇ રહેલી અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાની સ્થળ મુલાકાત લઇ નિર્માણાધીન પ્રોજેકટની હાલની સ્થિતિ તથા પ્રગતિની સમીક્ષા કરી. 


મુખ્યમંત્રી તથા તમામ મહાનુભાવોએ કાન-નાક-ગળા (ENT), નેત્ર-વિભાગ, દંત-ચિકિત્સા વિભાગ અને આપતકાલીન વિભાગની મુલાકાત વઇ દર્દીઓને ઉચ્ચસ્તરીય તકનિકી તબીબી સાધનો તેમજ ડિજિટલ ટેક્નોલોજી પ્લેટફોર્મ જેમ કે ઇ-સંજીવની દ્વારા આપવામાં આવતી સારવાર અને આયુષમાન ભારત ડિજિટલ મિશન હેઠળ બનાવવામાં આવતા ABHA-ID (Ayushman Bharat foalth Account)ની સવલતોનું પ્રત્યક્ષ નિરીકાણ કર્યું.

આ ઉપરાંત મુખ્યમંત્રીએ નિર્માણાીન IP (અંદરના દર્દી) અને ICU બ્લોક તેમજ ઓપરેશન થિએટર સંકુલનું પણ નિરીક્ષણ કરી સુવિધાઓ વહેલી તકે શરૂ કરવા અંગે સૂચના આપી હતી.  મુલાકાતના અંતિમ ચરણમાં કાર્યકારી નિયામક તેમજ નાયબ નિયામક (વહીવટ) દ્વારા મુખ્યમંત્રી તેમજ અન્ય મહાનુભાવોની હાજરીમાં AIIMS  પ્રોજેકટની હાલની સ્થિતિ તેમજ બાંધકામ કામગીરીની પ્રગતિ તેમજ આગોતરા આયોજન અંગે પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. આ દરમિયાન રાજય, જિલ્લા કક્ષા સંબંધિત મુદ્દાઓની ચર્ચા તેમજ સંસ્થાની હાલની સિધ્ધિઓ વર્ણવવામાં આવી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application