સીબીએસઇ બોર્ડની પરીક્ષાનું પરિણામ મે મહિનાના મધ્યાંતરમાં જાહેર કરવામાં આવશે.સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એયુકેશન બોર્ડ દ્રારા લેવામાં આવેલી ધોરણ–૧૦ અને ૧૨ની પરીક્ષાનું પરિણામ ૨૦ મે પછી જાહેર કરાશે. પરિણામને લઈને અફવાઓ ફેલાતી હોવાને પગલે બોર્ડ દ્રારા પરિણામની વેબસાઈટ પર સત્તાવાર જાહેરાત કરાઈ હતી. જેમાં ધોરણ–૧૦ અને ૧૨નું પરિણામ ૨૦ મે પછી જાહેર કરવામાં આવી શકે છે તેમ જણાવાયું હતું. ધોરણ–૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા ૨ એપ્રિલના રોજ પૂર્ણ થયા બાદ પરિણામ તૈયાર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. પરિણામને લગતી તૈયારીઓ પૂર્ણ થયા બાદ હવે ૨૦ મે પછી પરિણામ જાહેર કરાશે.
બોર્ડ દ્રારા દેશમાં ૧૫ ફેબ્રુઆરીથી ધોરણ–૧૦ અને ધોરણ–૧૨ની પરીક્ષાઓનો પ્રારભં થયો હતો. જેમાં માર્ચના અંતમાં ધોરણ–૧૦ની પરીક્ષાઓ પૂર્ણ થઈ હતી અને ત્યારબાદ ૨ એપ્રિલના રોજ ધોરણ–૧૨ની પરીક્ષા પૂર્ણ થઈ હતી. પરીક્ષા ચાલુ હતી તે દરમિયાન જ બોર્ડ દ્રારા ઉત્તરવહી મુલ્યાંકનની કામગીરી શ કરી હતી. મુલ્યાંકન કામગીરી પૂર્ણ થયા બાદ માર્ક પણ ઓનલાઈન મોકલી આપવામાં આવ્યા હતા. આમ, ધોરણ–૧૦ અને ૧૨ના પરિણામ જાહેર કરવા અંગેની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ હોવાથી બોર્ડ દ્રારા ગમે ત્યારે પરિણામ જાહેર કરાશે તેવી શકયતાઓ સેવાતી હતી.
ગતવર્ષે ધોરણ–૧૦ની પરીક્ષામાં ૯૩.૧૨ ટકા વિધાર્થીઓ પાસ થયા હતા. જેમાં વિધાર્થીનીઓનું પરિણામ ૯૪.૨૫ ટકા અને વિધાર્થીઓનું પરિણામ ૯૨.૭૨ ટકા આવ્યું હતું. યારે ધોરણ–૧૨નું ૮૭.૩૩ ટકા પરિણામ જાહેર કરાયું હતું. જેમાં વિધાર્થીનીઓનું પરિણામ ૯૦.૬૮ ટકા અને વિધાર્થીઓનું પરિણામ ૮૪.૬૭ ટકા જાહેર કરાયું હતું. બોર્ડ દ્રારા ધોરણ–૧૦ અને ૧૨માં મેરિટ લિસ્ટ તથા ટોપર લિસ્ટ જાહેર કરવામાં આવ્યું ન હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતે પાકિસ્તાનને ધોબી પછાડ આપતા જામનગરમાં જીતનો જબરદસ્ત જશ્ન
February 24, 2025 04:50 PMકેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જીલ્લાના વિવિધ ગામોની મુલાકાત લઇ લોકો સાથે સંવાદ કર્યો
February 24, 2025 04:19 PMબાંગ્લાદેશમાં ટોળાએ એરબેઝ પર કર્યો હુમલો, સૈનિકોએ અનેક રાઉન્ડ ગોળીબાર કરતા એકનું મોત, અનેક ઘાયલ
February 24, 2025 03:55 PMડેંગ્યુ, ટાઇફોઇડ, કમળો સહિતના ૧૯૪૬ કેસ; તાવથી બાળકનું મૃત્યુ
February 24, 2025 03:48 PMજેતપુર–રાજકોટ સિકસલેન રોડના કામમાં યોગ્ય ડાયવર્ઝનના અભાવે દિવસભર ટ્રાફિકજામ
February 24, 2025 03:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech