આ કેશ ની હક્કિત એવી છે કે, એ.એસ.એન્ટરપ્રાઈઝ કે જે નવસારી મુકામે આવેલ છે, અને તેના પ્રોપ્રાઈટર સુભાષકુમાર દોલતસિંહ યાદવ છે ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટ ટ્રેડીંગ નો વ્યવસાય કરે છે અને ખુબ જ પ્રતિષ્ઠા ધરાવે છે. તેમની પાસેથી હરિયાણાની પેઢી જ્યોતિ એક્ષિમ એન્ટરપ્રાઈઝ તથા તેનાં માલિક સુમન દલાલ દ્વારા ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટનો માલ ઉધારથી ખરીદ કરવામાં આવેલ, અને જેનાં બીલ તથા લેઝર મુજબ રૂા. ૨,૬૬,૬૩,૮૦૨/- થતાં હતાં. જે માલ એ.એસ.એન્ટરપ્રાઈઝ ના પ્રોપ્રાઈટર સુભાષકુમાર દોલતસિંહ યાદવ દ્વારા ટ્રાન્સપોર્ટ મારફત જ્યોતિ એક્ષિમ એન્ટરપ્રાઈઝ તથા તેનાં માલિક સુમન દલાલ ને મોકલી આપવામાં આવેલ.
ત્યારબાદ એ.એસ.એન્ટરપ્રાઈઝ ના પ્રોપ્રાઈટર સુભાષકુમાર દોલતસિંહ યાદવ દ્વારા દ્વારા પોતાના કાયદેસરનાં માલનાં બીલની રકમની માંગણી જ્યોતિ એક્ષિમ એન્ટરપ્રાઈઝ તથા તેનાં માલિક સુમન દલાલ પાસે કરવામાં આવતાં જ્યોતિ એક્ષિમ એન્ટરપ્રાઈઝ તથા તેનાં માલિક સુમન દલાલ દ્વારા થોડા સમયમાં ચૂકવી આપીશું તેવું જણાવેલ. પરંતુ રકમ ચુકવવામાં આવેલ નહી. જેથી એ.એસ.એન્ટરપ્રાઈઝ ના પ્રોપ્રાઈટર સુભાષકુમાર દોલતસિંહ યાદવ દ્વારા તેમનાં વકીલ મારફત જ્યોતિ એક્ષિમ એન્ટરપ્રાઈઝ તથા તેનાં માલિક સુમન દલાલ ને કાનૂની નોટીસ મોકલવામાં આવેલ અને રકમની માંગણી કરવામાં આવેલ. પરંતુ જ્યોતિ એક્ષિમ એન્ટરપ્રાઈઝ તથા તેનાં માલિક સુમન દલાલ દ્વારા રકમ ચુકવવામાં આવેલ નહિં જેથી નારાજ થઇ એ.એસ.એન્ટરપ્રાઈઝ ના પ્રોપ્રાઈટર સુભાષકુમાર દોલતસિંહ યાદવ દ્વારા તેમનાં જામનગર ના યુવાન વકીલ મયુર ડી. કટારમલ મારફત જ્યોતિ એક્ષિમ એન્ટરપ્રાઈઝ તથા તેનાં માલિક સુમન દલાલ વિરૂધ્ધ નવસારીના પ્રિન્સીપાલ સીનીયર સિવિલ જજ સાહેબ ની કોર્ટ માં રૂા. ૨,૬૬,૬૩,૮૦૨/- ની કાયદેસરની લીની નીકળતી રકમ વસુલ મેળવવા સમરી દાવો દાખલ કરવામ આવેલ અને નવસારી ની અદાલત દ્વારા એ.એસ એન્ટરપ્રાઈઝ ના યુવાન ધારાશાસ્ત્રી મયુર ડી. કટારમલ ની રજુઆતો ધ્યાને લઇ જ્યોતિ એક્ષિમ એન્ટરપ્રાઈઝ તથા તેનાં માલિક સુમન દલાલ ને નવસારી ની અદાલત માં તાત્કાલિક હાજર થવાનો હુકમ કરવામાં આવેલ
વાદી એ.એસ.એન્ટરપ્રાઈઝ નવસારીની પેઢી વતી જામનગર ના યુવાન વકીલ મયુર ડી. કટારમલ રોકાયેલા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech