દિગ્જામ સર્કલ પાસે આવેલા સિટી બસના પાર્કિંગમાંથી બુઝુર્ગના મોબાઈલ ફોનની ઉઠાંતરી

  • May 05, 2023 11:23 AM 

જામનગરમાં રામેશ્વરનગર વિસ્તારમાં રહેતા ૬૪ વર્ષીય બુજુર્ગ કે જેઓ દીગજામ સર્કલ પાસેના સીટી બસ ના પાર્કિંગમાં ઊભા હતા, જ્યાંથી કોઈ તસ્કરો તેમના ખિસ્સામાંથી મોબાઈલ ફોનની ઉઠાંતરી કરી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે.

 જામનગરના રામેશ્વરનગર નજીક વિનાયક પાર્ક વિસ્તારમાં રહેતા અને નિવૃત્ત જીવન જીવતા મનજીભાઈ કાનજીભાઈ પાણખાણીયા નામના ૬૪  વર્ષ ના બુઝુર્ગ કે જેઓ ગત ૨૭મી તારીખે દીગજામ સર્કલ પાસે આવેલા સિટી બસના પાર્કિંગમાં ઉભા હતા, તે દરમિયાન કોઈ તસ્કરોએ તેમના ખિસ્સામાંથી મોબાઇલ ફોનની ઉઠાંતરી કરી ગયા હોવાથી તેઓએ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે. જે મામલે સિટી સી. ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application