રાજકોટ બેડી યાર્ડમાં દુકાન ધરાવતા લોહાણા વેપારીએ ગઈકાલે બપોરે દુકાનમાં જ ઝેરી દવા પી આપઘાત કરી લેતા અરેરાટી મચી જવા પામી છે. પિતા-પુત્ર દુકાને બેઠા હતા ત્યારે પુત્ર કોઈ કામથી બહાર ગયો હોય દુકાને પરત આવતા પિતાએ પગલું ભરી લીધું હતું. આપઘાત અંગેના પ્રાથમિક કારણમાં આર્થિકભીસ હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત વિગત મુજબ મૂળ કુવાડવાના રફાળા ગામના અને હાલ રાજકોટના મોરબી રોડ, ઓમપાર્ક-2માં રહેતા શશીકાંતભાઈ શિવલાલ ચંદારાણા (ઉ.વ.55)એ ગત બપોરે બારેક વાગ્યાના અરસામાં બેડી યાર્ડમાં આવેલી દુકાનમાં ઝેરી દવા પી લેતા સારવાર માટે ગોકુલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ચાલુ સારવાર દરમિયાન રાત્રીના દમ તોડી દેતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
બનાવ અંગે હોસ્પિટલ સ્ટાફ દ્વારા કુવાડવા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્ટાફ ગોકુલ હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે ખસેડ્યો હતો. આપઘાત કરનાર શશીકાંતભાઈ ત્રણ ભાઈ ત્રણ બહેનમાં વચેટ હતા, સંતાનમાં એક દીકરો દીકરી છે. પરિવારના જણાવ્યા મુજબ અગાઉ 13 વર્ષ સુધી કાલાવડના નિકાવા ગામે કરિયાણાની દુકાન ચલાવતા હતા પરંતુ ધંધો બરાબર ન જામતા ત્યાંથી હળવદ રહેવા માટે ગયા હતા ત્યાં પણ કરજો થઇ જતા છેલ્લા દોઢેક વર્ષથી રાજકોટ રહેવા આવી ગયા હતા અને યાર્ડમાં ભાડાની દુકાન રાખી વેપાર શરૂ કર્યો હતો. છેલ્લા કેટલાક સમયથી આર્થિકભીંસ હોવાથી કંટાળી પગલું ભરી લીધું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખૂંખાર નક્સલીઓથી બચાવનાર કે-9 રોલો ડોગ શહીદ: ગાર્ડ ઓફ ઓનર આપીને અંતિમ સંસ્કાર કરાયા
May 16, 2025 04:07 PMભારતમાંથી યુએસમાં આઈફોન બનાવવાની કિંમત 1000 ડોલરથી વધીને 3,000 ડોલર થઈ શકે
May 16, 2025 03:47 PMતેલંગાણા મંદિરમાં મિસ વર્લ્ડ સ્પર્ધકોના પગ ધોતી મહિલાઓનો વીડિયો વાયરલ થયા બાદ વિવાદ
May 16, 2025 03:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech