ભારતની પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિના સુભગ સંગમ સાથે “એક ભારત અને શ્રેષ્ઠ ભારત” થીમ અન્વયે પોરબંદરના માધવપુર ઘેડ ખાતે ભગવાન શ્રીકૃષ્ણ અને રૂકમણીજીના વિવાહ પ્રસંગે યોજાતા પાંચ દિવસીય "માધવપુર મેળા"નો પ્રારંભ થઈ ચુક્યો છે. માધવપુરમાં ચાલી રહેલા આંતરરાષ્ટ્રીય મેળામાં રાજકોટ જિલ્લાના જેતપુર, ગોંડલ, ધોરાજી, ઉપલેટા, જામકંડોરણાથી કુલ 65 બસ મારફત 3600થી વધુ શ્રદ્ધાળુઓ ભાગ લેશે.
શ્રદ્ધાળુઓની મુસાફરી માટે પ્રાંત અધિકારી રાજેશ આલના માર્ગદર્શન હેઠળ ગોંડલ તથા જેતપુર તાલુકાની બસની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ધોરાજી પ્રાંત અધિકારી જે.એન.લીખિયાના માર્ગદર્શન હેઠળ ધોરાજી, ઉપલેટા, જામકંડોરણા તાલુકાની બસની વ્યવસ્થા જામકંડોરણાનાં તાલુકા વિકાસ અધિકારી એચ.એમ.ભાસ્કર કરી રહ્યા છે.
રાજકોટ જિલ્લાનાં સાધુ સંતો, વૈષ્ણવ સંપ્રદાય, કૃષ્ણપંથી ભક્તો, ઇસ્કોન મંદિરનાં અનુયાયીઓ સહિતના શ્રદ્ધાળુઓ માટે રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુનાં માર્ગદર્શન હેઠળ નિઃશુલ્ક બસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. માધવપુરમાં ચાલી રહેલા આંતરરાષ્ટ્રીય મેળામાં રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાંથી 9 બસ, ઉપલેટા તાલુકામાંથી 13 બસ, જામકંડોરણા તાલુકામાંથી 6 બસ, ગોંડલ તાલુકામાંથી 17 બસ અને જેતપુર તાલુકામાંથી 20 બસ ઉપડશે.
રાજકોટના પાંચ તાલુકાના લોકો 60 વ્યકિતઓનાં બેસવાની ક્ષમતા ધરાવતી કુલ 65 બસ મારફત ભગવાનશ્રી કૃષ્ણ અને રૂકમણીજીના લગ્ન સમારોહમાં ઉપસ્થિત રહી ધન્યતા અનુભવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસલાયા નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમ
September 20, 2024 11:10 AMનકલી કોર્ટમાં નકલી કેસ દાખલ કરી 59 લાખ રૂપિયાની છેતરપિંડી કરી
September 20, 2024 11:06 AMનકલી કોર્ટમાં નકલી કેસ દાખલ કરી 59 લાખ પિયાની છેતરપિંડી કરી
September 20, 2024 10:58 AMવારાણસી વિશ્વનાથ મંદિરના ગર્ભગૃહ પાસે જ આગથી ગભરાટ
September 20, 2024 10:56 AMપીએમ નેતન્યાહની હત્યાનું કાવતરૂ નિષ્ફળ, ઈરાને આપી હતી સોપારી
September 20, 2024 10:53 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech