પોરબંદરના બોખીરા વિસ્તારમાં આવેલ આવાસ ખાતે છતમાંથી પાણી ટપકતા હોવાના કારણે પંખો સળગ્યો હતો.
પોરબંદર શહેરના બોખીરા વિસ્તારમાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે ૨૪૪૮ આવાસ બનાવવામાં આવ્યા હતા. આ આવાસ અત્યંત નબળી ગુણવત્તાવાળા બનતા હોવાની જે તે સમયે ફરિયાદ ઉઠવા પામી હતી છતાં પણ તંત્રએ દરકાર કરી ન હતી અને હાલમાં અવારનવાર અનેક ફ્લેટના છતમાંથી પોપડા ખરે છે ત્યારે અધૂરામાં પૂરું હવે છતમાંથી પાણી ટપકતા હોવાને લીધે ઇલેક્ટ્રોનિક ઉપકરણોને પણ નુકસાન થાય છે.
બ્લોક નંબર ૨ માં વિજયાબેન દેવમોરારીના સરકારી આવાસ યોજના ના ક્વાર્ટરમાં છતમાંથી પાણી ટપકતું હોવાથી તેનો પંખો સળગી ઊઠ્યો હતો સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી પરંતુ પંખાને નુકસાન થયું હતું આ પ્રકારની પરિસ્થિતિ અનેક ફ્લેટમાં જોવા મળી રહી છે ત્યારે તંત્ર વરસાદી પાણી ફ્લેટમાં ટપકતું બંધ કરવા માટે યોગ્ય કાર્યવાહી કરે તે ઇચ્છનીય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMGST ફાઇલિંગને લઈને આવ્યું મોટું અપડેટ: નહીં કરો આ કામ તો થશે નુકસાન
June 07, 2025 07:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech