આવાસ યોજનામાં છતમાંથી પાણી ટપકતા સળગ્યો પંખો

  • October 11, 2024 02:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરના બોખીરા વિસ્તારમાં આવેલ આવાસ ખાતે છતમાંથી પાણી ટપકતા હોવાના કારણે પંખો સળગ્યો હતો.
પોરબંદર શહેરના બોખીરા વિસ્તારમાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે ૨૪૪૮ આવાસ બનાવવામાં આવ્યા હતા. આ આવાસ અત્યંત નબળી ગુણવત્તાવાળા બનતા હોવાની જે તે સમયે ફરિયાદ ઉઠવા પામી હતી છતાં પણ તંત્રએ દરકાર કરી ન હતી અને હાલમાં  અવારનવાર અનેક ફ્લેટના છતમાંથી પોપડા ખરે છે ત્યારે અધૂરામાં પૂરું હવે છતમાંથી પાણી ટપકતા હોવાને લીધે ઇલેક્ટ્રોનિક ઉપકરણોને પણ નુકસાન થાય છે. 
બ્લોક નંબર ૨ માં વિજયાબેન દેવમોરારીના સરકારી આવાસ યોજના ના ક્વાર્ટરમાં છતમાંથી પાણી ટપકતું હોવાથી તેનો પંખો સળગી ઊઠ્યો હતો સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી પરંતુ પંખાને નુકસાન થયું હતું આ પ્રકારની પરિસ્થિતિ અનેક ફ્લેટમાં જોવા મળી રહી છે ત્યારે તંત્ર વરસાદી પાણી ફ્લેટમાં ટપકતું બંધ કરવા માટે યોગ્ય કાર્યવાહી કરે તે ઇચ્છનીય છે.
     



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application