જેતપુરના સરધારપુરમાં દાઝી ગયેલા આધેડનું સારવારમાં મોત

  • March 19, 2025 10:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જેતપુરના સરધાર ગામે બે દિવસ પૂર્વે ચા બનાવતી વખતે ગેસની નળી લીક હોવાથી ભડકો થતા કાકા ભત્રીજો દાઝી જતા સારવાર માટે જેતપુર ખસેડવામાં આવ્યા હતા. આધેડને વધુ સારવારની જરૂર હોવાથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા ગઈકાલે રાત્રે સારવાર દરમિયાન દમ તોડી દેતા પરિવારમાં ગમગીની છવાઈ છે.


પ્રાપ્ત વિગત મુજબ જેતપુરના સરધારપુર ગામે રહેતાં અને ખેતીની સાથે સાડીના કારખાનામાં કામ કરતા પ્રવિણભાઇ વૃજલાલભાઇ રામોલીયા ગઈકાલે કામે જવા માટે બાજુમાં જ રહેતા ભત્રીજા મહેશ ગોબરભાઇ રામોલીયા (ઉ.વ.૩૨)ને બોલાવવા માટે ગયા હતા ત્યારે ભત્રીજા ઘરની સાથે જ ગાઠીયાની દૂકાન આવેલી હોવાથી ત્યાં ચા બનાવતી વખતે ગેસના બાટલાની નળી લિક થઇ જતાં ભડકો થતાં કાકા-ભત્રીજો બંને દાઝી જતા જેતપુર હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. ત્‍યાંથી પ્રવિણભાઇને વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં લાવવામાં આવ્યા હતા. દરમિયાન રાત્રીના દમ તોડી દેતા બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે જેતપુરના ઉદ્યોગનગર પોલીસને જાણ કરતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક પ્રવિણભાઇ બે ભાઇ અને એક બહેનમાં મોટા છે. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. બનાવથી પરિવારમાં શોક છવાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application