મિલકત વેરા વળતર યોજનાનું બમ્પર ઓપનિંગ ૮૦૦૦ મિલકતધારકએ પાંચ કરોડ રૂપિયા ભર્યા

  • April 09, 2024 03:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાનગરપાલિકાની વેરા વળતર યોજનાને બમ્પર ઓપનિંગ મળ્યું છે, આજથી ઓફલાઇન વેરો સ્વીકારવાનું શ થતા યોજના શ થયાના ૨૪ કલાકમાં આજે બપોરે બે વાગ્યેની સ્થિતિએ .પાંચ કરોડની વેરા વસુલાત થઇ હતી, કુલ ૮૦૦૦ મિલ્કતધારકોએ ઓનલાઇન અને ઓફલાઇન વેરો ભરપાઇ કરી ૧૦ ટકા વળતરની યોજનાનો લાભ મેળવ્યો હતો.

વેરા વળતર યોજના ગઈકાલથી ઓનલાઇન શ કરાઇ હતી, જયારે આજથી ઓફલાઇન વેરો સ્વીકારવાનું શ કરાતા કરદાતાઓ ઉમટા હતા પણ તંત્રવાહકો વ્યવસ્થામાં ઉણા ઉતર્યા હતા. પીવાનું પાણી, બેસવા ખુરશીઓ, મંડપ નાખી છાંયડા વિગેરે જેવી સુવિધાઓનો સ્પષ્ટ્ર અભાવ જોવા મળ્યો હતો

તા.૩૧ મે સુધી મિલકતવેરા વળતર યોજનાનો લાભ આ રીતે મળશે
 ૩૧ મે સુધી વેરાની સંપૂર્ણ રકમ ભરપાઇ કરવા પર ચાલુ વર્ષના માંગણા પર પુષ કરદાતાને ૧૦ ટકા વળતર
 ફકત મહિલાઓના નામે જ હોય તેવી મિલકતોમાં વિશેષ ૫ ટકા (કુલ ૧૫ ટકા) વળતર
 ઓનલાઇન પેમેન્ટ કરનાર મિલ્કત ધારકને મળવાપાત્ર વળતર ઉપરાંત વિશેષ ૧ ટકાનો લાભ
સતત ત્રણ વર્ષથી આવી યોજના દરમ્યાન સંપૂર્ણ વેરો ભરનાર કરદાતાઓને લોયાલીટી બોનસ પેટે વિશેષ ૧ ટકા ( પુષ કરદાતાને કુલ ૧૨ ટકા) અને મહિલાને કુલ ૧૭ ટકા
 ૪૦ ટકાથી વધારે ડીસેબિલીટી (શારીરિક અશકત) હોય અને તેમના જ નામે હોય તેવા રહેણાંક મિલકતોને વિશેષ ૫ ટકા વળતર અપાશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application