યુનિવર્સિટીના બી.એ.સેમેસ્ટર-૪ના પરિણામ મામલે બંને વિદ્યાર્થી સંગઠનોએ આવેદન આપ્યું

  • August 06, 2024 03:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એમકેબી યુનિવર્સિટીના બી.એ. સેમેસ્ટર-૪ના પરિણામમાં ક્ષતિ મામલે યુની. ખાતે બંને  વિદ્યાર્થી સંગઠનોએ મોરચો માંડ્યો હતો.
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ. દ્વારા જાહેર કરાયેલા બી.એ. સેમેસ્ટર-૪ના પરિણામોમાં ક્ષતિ હોવાથી વિદ્યાર્થીઓને મોટાભાગના વિષયોમાં  નાપાસ કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ એન.એસ.યુ. આઈ.ના વિદ્યાર્થી નેતાઓએ અને બી.એ. સેમેસ્ટર-૪ની પુરવણી કરીથી ચકાસવાની માંગણી સાથે એબીવીએ  સોમવારના રોજ ભાવનગર યુનિવર્સિટી ખાતે રજૂઆત કરી હતી. બી.એ. સેમેસ્ટર-૪ના પરિણામોમાં ક્ષતિ હોવાથી વિદ્યાર્થીઓને મોટા ભાગના વિષયોમાં વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવ્યા છે. ગ્રેસિંગ પણ આપવામાં આવ્યું નથી.જેના અનુસંધાને ભાવનગર યુનિવર્સિટીના કુલપતિને રજૂઆત કરવામાં આવી હતી.  આથી કુલપતિએ વિદ્યાર્થીઓને રી એસેસમેન્ટ નિયમ અનુસાર કરાવવા અને જો પરિણામમાં સુધારો આવશે તો રી એસેસમેન્ટની ફી પરત કરવાની હૈયાધારણા આપી હતી. અને જો મોટાપાયે સુધારો જણાશે તો રેન્ડમલી ચેકિંગ હાથ ધરાશે તેમ પણ વધુમાં જણાવ્યુ હતુ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application