પ.પૂ. પ્રેમભિક્ષુજી મહારાજની પ૩મી પૂણ્યતિથિ નિમિતે પ્રથમ વખતે રક્તદાન કેમ્પ

  • April 12, 2023 12:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના આંગણે અખંડ રામધૂન ૫૯માં વર્ષમાં અવિરત રીતે આગળ વધી રહી છે. આ અખંડ રામધૂનનાં પ્રણેતા પ્રેમભિક્ષુજી મહારાજની ૫૩મી પુણ્યતિથિ નિમિતે તા. ૧૧-૦૪- ૨૦૨૩નાઆજ રોજ બાલા હનુમાન મંદિર સ્થિત પૂ. મહારાજની સમાધી પર પૂજન-આરતી કરવામાં આવી હતી, એ પછી ગઇકાલે સાંજે સંધ્યા આરતી નિયતક્રમ મુજબ કરાઈ હતી. જેમાં બહોળી સંખ્યામાં ભક્તજનો શ્રઘ્ધાપૂર્વક જોડાયા હતા. આ તકે રકતદાન કેમ્પ પણ યોજાયો હતો. કાર્યક્રમનોે સફળ બનાવવા પ્રમુખ જીતુભાઇ લાલ, મંત્રી વિનુભાઇ તન્ના, કિરીટભાઇ ભદ્રા, ઉદયસિંહ વાઢેર, કનુભાઇ કોટક,  ખજાનચી રવિન્દ્રભાઇ જોષી સહિતની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application