ખંભાળિયામાં થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓ માટે રક્તદાન કેમ્પ યોજાયો

  • September 23, 2024 11:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ડી.એલ.એસ.એ., વકીલ મંડળનું સંયુક્ત આયોજન: મોટી માત્રામાં રક્ત એકત્ર થયું


દેવભૂમિ દ્વારકા જિલ્લાની હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા થેલેસેમીયાના દર્દીઓની જરૂરિયાત પૂરી થાય તે માટે અહીંના કોર્ટ પરિસર ખાતે શનિવારે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નોંધપાત્ર સંખ્યામાં રક્તની બોટલ એકત્ર થઈ હતી.


ખંભાળિયામાં થેલેસેમીયાના દર્દીઓ માટે રક્ત એકત્ર કરવાના ઉમદા આશય સાથે દેવભૂમિ દ્વારકા ડી.એલ.એસ.એ. અને જિલ્લા બાર એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે અહીંની કોર્ટ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં અહીંના એડવોકેટો તેમજ કોર્ટના સ્ટાફ સહિતના રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું અને કુલ 102 બોટલ રક્ત એકત્ર થયું હતું. જેમાં ખંભાળિયાની સિવિલ હોસ્પિટલની બ્લડ બેન્ક દ્વારા જરૂરી સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. દરેક રક્તદાતાઓને બાર એસોસિએશન દ્વારા આકર્ષક સ્મૃતિ ભેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. અને તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

આ આયોજનમાં ડિસ્ટ્રિક્ટ જજ એસ.વી. વ્યાસ, સેશન્સ જજ મનસુરી, ડી.એલ.એસ.એ.ના સેક્રેટરી ગોહિલ, જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ભંડેરી સાથે જિલ્લા વકીલ મંડળના પ્રમુખ સંજયભાઈ જોશી તેમજ તેમની ટીમ દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application