આઝાદી પર્વ નિમિત્તે અટલ ઓડિયોરીયમ ખાતે રક્તદાન કેમ્પ

  • August 12, 2024 02:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહીદોને અને શહેર  અગ્રણી સ્વ કેતન મહેતા ને શ્રદ્ધાંજલિ આપવા  જરૂરીયાતમંદ દર્દીઓ ની જીંદગીઓ બચાવવા યોજાયેલા મહારક્તદાન કેમ્પ માં ૬૪૩ યુનિટ રક્ત એકત્રિત કરાયું શહેર ના અટલ ઓડિટોરિયમ ખાતેઆઝાદી પર્વ નિમિત્તે શહીદો ને તથા શહેર ના સક્રિય અગ્રણી સ્વ કેતન મહેતા ને શ્રદ્ધાંજલિ આપવા અને જરૂરીયાતમંદ દર્દીઓ ની જીંદગીઓ બચાવવા મહા રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહારક્તદાન કેમ્પ થકી  ૬૪૩ રક્તદાતાઓ એ રક્તદાન કર્યું હતું.


આ મહારક્તદાનકેમ્પમાં  સ્વૈચ્છિક રીતે રક્તદાતાઓ એ આવી ને રક્તદાન નું ઉમદા કાર્ય કરી ને શહીદો ને અને સાથી સ્વ કેતન મહેતા ને રકતાંજલી આપી હતી. જેમાં શહેર નું મહાજન ગણાતી સંસ્થા સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ,ભાવનગર ઇલેક્ટ્રિક મરચન્ટ એસોસીએશન, ભારતીય મઝદુર સંઘ(ઇખઈ), ભાવનગર વાયરમેન એસોસિએશન, ભાવનગર હાડવેર એસોસિએશન, ભાવનગર લાઈટ માઈક એસોસિએશન સહિત ની સંસ્થાઓ ના હોદ્દેદારો તેમજ  શુભેચ્છકો દ્વારા મેગા રક્તદાન શિબિર માં ૬૪૩ યુનિટ રક્ત એકત્ર કર્યું હતું.

ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા રક્તદાતાઓ માટે બોર્ન ડેન્સીટી ટેસ્ટ કરવા માં આવ્યા હતા જેમાં ૨૭૭ વ્યક્તિઓ એ લાભ લીધો હતો, તેમજ ૯૭ વ્યક્તિઓ ના ઊઈૠ ટેસ્ટ કરવા માં આવ્યા હતા ,૧૭૦ થી વધુ વ્યક્તિ ના બ્લડ શુગર ટેસ્ટ વિનામૂલ્યે કરી આપવા માં આવ્યા હતા રેડક્રોસ બ્લડ બેન્ક દ્વારા રક્તદાન નો સ્વીકાર કરી ને જરૂરીયાતમંદ દર્દીઓ ને સામે જમા લીધા વગર રક્ત પૂરું પાડવા માં આવે છે ત્યારે રેડક્રોસ બ્લડ બેન્ક દ્વારા જોડાઈ ને રક્ત સ્વીકારવા માં આવ્યું હતું કેમ્પ માં કુલ ૬૪૩ રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરવા માં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application