બનાસકાંઠા જિલ્લાના સૂઈગામ અને વાવ તાલુકાના તમામ ગામોમાં તકેદારીના ભાગરૂપે આજે રાત્રે બ્લેકઆઉટ કરવામાં આવશે. જિલ્લા કલેક્ટર મિહિર પટેલે આ અંગે સૂચનાઓ જારી કરી છે અને તમામ નાગરિકોને અફવાઓથી દૂર રહેવા તેમજ વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કર્યો છે.
કલેક્ટર દ્વારા આપવામાં આવેલી આ સૂચના પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ કરવામાં આવ્યું નથી, પરંતુ તકેદારીના ભાગરૂપે આ પગલું લેવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે. સૂઈગામ અને વાવ તાલુકા સરહદી વિસ્તારો હોવાથી સુરક્ષાના કારણોસર આ નિર્ણય લેવાયો હોવાની શક્યતા છે.
તમામ ગ્રામજનોને આ સૂચનાને ગંભીરતાથી લેવા અને રાત્રે પોતાના ઘરોમાં જ રહેવા માટે કહેવામાં આવ્યું છે. કોઈપણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપવા અને શાંતિ જાળવવા માટે પણ અપીલ કરવામાં આવી છે. વહીવટી તંત્ર પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે અને જરૂર પડ્યે વધુ માહિતી આપવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજસ્થાન: અત્યાર સુધીમાં 30 પાકિસ્તાની ડ્રોન તોડી પડાયા, બાડમેરમાં રેડ એલર્ટ
May 09, 2025 10:35 PMપાકિસ્તાની ડ્રોનથી ફિરોઝપુરમાં એક પરિવાર ઘાયલ, સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
May 09, 2025 10:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech