જન્મ અને મરણમાં નોંધણી સમયે જે નામ નોંધવામાં આવે છે અને જન્મ તારીખ લખાય છે. આ પ્રમાણપત્રમાં સુધારા માટે નાગરિકો દ્વારા અનેક અરજીઓ કરાતી હોય છે. તે સંદર્ભે આરોગ્ય વિભાગ દ્વારા જન્મ અને મરણ નોંધણીના સંબંધિત રજિસ્ટ્રારને નાગરિકોની રજૂઆતોની ખરાઇ કરી યોગ્ય સુધારા કરવા નવેસરથી સૂચના અપાઇ છે. જેના કારણે ફેરફાર કરાવવા માગતા લોકોને પુરાવાના આધારે વધુ તક મળી શકશે.અને જન્મના પ્રમાણપત્રમાં નામ ફેરફારમાં હવે ઉર્ફે અથવા બે નામનો ઉલ્લેખ કરી શકાશે.
ગુજરાત રાજ્યના આરોગ્ય કમિશનર અને મુખ્ય રજિસ્ટ્રાર (જન્મ-મરણ) હર્ષદ પટેલ દ્વારા ફેરફાર સંબંધે અગાઉના પરિપત્રો રદ કરી નવો પરિપત્ર જારી કરાયો છે. જેમાં નામ સુધારણાની અરજીનો નિર્ણય કરતી વખતે સંબંધિત રજિસ્ટ્રારે અરજદારની અન્ય ઓળખની વિગતો પિતાનું નામ, છેલ્લ ું નામ-અટક અને જન્મ તારીખ કે કોઇ એક અથવા તેમાં કંઇ બદલવાની માગ કરી છે કે કેમ તેવી બાબતોને ધ્યાનમાં રાખવાની રહેશે. જે તે રજિસ્ટ્રારે આ માટે અરજીના સમર્થનમાં આપવામાં આવેલા ફોટાવાળા ઓળખપત્ર કે અન્ય ઓળખના દસ્તાવેજોને ધ્યાનમાં રાખવાના રહેશે.
તે ઉપરાંત નામમાં ફેરફાર સંબંધે અરજદાર દ્વારા જે પુરાવા અપાય તેમાં રજિસ્ટ્રારને સત્યતાની ખાતરી થાય તો નામમાં ફેરફારના સંદર્ભમાં ઉર્ફે શબ્દનો ઉપયોગ કરી શકાશે. જન્મ નોંધણીની કોલમમાં જરૂરી નોંધ કયર્િ બાદ જન્મના પ્રમાણપત્રમાં બન્ને નામ લખવાના રહેશે. જો અરજદારને ઉર્ફે શબ્દનો સ્વીકાર ન હોય તો અરજદાર દ્વારા અપાયેલા પુરાવાની પુન: ખરાઇ બાદ રજિસ્ટ્રારે જન્મ રજિસ્ટરના જન્મ નોંધણીની નોંધના કોલમમાં બન્ને નામોનો ઉલ્લ ેખ સુધારાની તારીખ સાથે કરવાનો રહેશે.
તે સાથે તારીખ અંગે રજિસ્ટ્રારને ખાતરી થાય કે જન્મ મરણની નોંધ તેના સ્વરૂપમાં ભૂલ ભરેલી છે અથવા કપટથી કે અયોગ્ય રીતે કરેલી છે તો અરજદારના પુરાવાની ચકાસણી કરી સંતોષકારક ખાતરી ન થાય ત્યાં સુધી જન્મ તારીખની નોંધમાં ફેરફાર કરવાની મંજૂરી આપવાની રહેશે નહીં.રજિસ્ટરમાં એન્ટ્રી કરતી વખતે કારકુનીને લગતી ભૂલ હોય તો રજિસ્ટ્રારે તેને કાયદા અને પરિપત્ર મુજબ સુધારવાની રહેશે. જો કે કારકુની ભૂલ ન હોવાના કારણે જ અરજી નકારી શકાશે નહીં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech